ખેડૂત આંદોલન વચ્ચે સરકારની બૂલડોઝર કાર્યવાહી, હવે ખેડૂતો શું કરશે? | Kisan Andolan

  • India
  • March 20, 2025
  • 0 Comments

Kisan Andolan News: શંભુ બોર્ડર અને ખાનૌરી બોર્ડર 13 મહિના પછી ખેડૂત પ્રદર્શનકારીઓના તંબૂઓ સહિત ચણીને બાંધેલા બેરિકેટ્સ તોડી પાડવાાં આવી રહ્યા છે. પંજાબ પોલીસે બુલડોઝરની કાર્યવાહીથી હડકંપ મચાવી દીધો છે. પંજાબ પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરના વિરોધ સ્થળોએથી ખેડૂતોને દૂર કર્યા છે તેમના તંબુ પણ ઉખેડી નાખવામાં આવ્યા છે. સરકાર વિરોધ પ્રદર્શનનો અંત લાવવા મથામણ કરી રહી છે.

પોલીસે ખેડૂત નેતાઓ સરવન સિંહ પંધેર અને જગજીત સિંહ દલેવાલ સહિત ઘણા ખેડૂતો અને ખેડૂત નેતાઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે કામચલાઉ માળખાં અને સ્ટેજ, ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો દૂર કર્યા પછી વિરોધ સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું. જોકે પંજાબ પોલીસની કાર્યવાહી પર રાજકારણ પણ ગરમાયું છે. શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સરકારને ઘેરી લીધી છે. ગઈકાલથી અત્યાર સુધી શું થયું છે, 10 મુદ્દાઓમાં જાણો?

1. પંજાબ પોલીસે બુધવારે પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો અંત લાવી છે, અને તંબુઓ તોડી પાડ્યા છે. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા હતા. શંભુ બોર્ડર પર પોલીસ કાફલામાં પણ વધારો કરાયો છે. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા કાયમી બેરિકેડ તોડી પાડ્યા છે. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને સ્ટેજને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. આ પોલીસ કાર્યવાહી હેઠળ, ખેડૂતોને શંભુ બોર્ડર પરથી દૂર કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિરોધ વ્યવસ્થા તોડી પાડવામાં આવી હતી.

2. આ પોલીસ કાર્યવાહી દરમિયાન, હરિયાણા પોલીસ પણ તેની બાજુમાંથી ખેડૂતોના પ્રદર્શનને નષ્ટ કરવામાં વ્યસ્ત હતી. પંજાબ પછી, હરિયાણા પોલીસે પણ પોતાની બાજુમાંથી વિરોધ કરવા આવેલા ખેડૂતો બાંધેલા તંબૂ સહિતની વસ્તૂઓને દૂર કરી છે. શંભુ બોર્ડર પરથી સંપૂર્ણપણે ખેડૂતોને હટાવી દેવામાં આવ્યા છે. શંભુ સરહદ 13 મહિના પછી ખુલી છે.

આ પણ વાંચોઃ  Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

આ પણ વાંચોઃ ભારતે કહ્યું- “અમે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ”

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના