phagwel Virpur rally: અમૂલ ડેરીએ ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચાર!, પશુપાલકો અને ડિરેક્ટરોએ ફાગવેલથી વીરપુર સુધી રેલી કાઢી

phagwel Virpur rally: અમૂલ ડેરીમાં જમીન ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના મુદ્દે સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી મહિને અમૂલ ડેરી સંઘની ચૂંટણી પહેલાં “અમૂલ બચાવો” આંદોલન શરૂ થયું છે, જેમાં ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના હજારો પશુપાલકો, દૂધ મંડળીઓના ચેરમેન, સભ્યો અને સહકારી આગેવાનોએ ભાગ લીધો છે. આ આંદોલનનો હેતુ અમૂલ ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો અને પશુપાલકોના હકનું રક્ષણ કરવાનો છે.
ફાગવેલથી વીરપુર સુધી રેલી

ખેડા જીલ્લાના યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શન બાદ, પશુપાલકો અને સહકારી નેતાઓએ વીરપુર ખાતે જમીન ખરીદીના સ્થળની મુલાકાત લેવા રેલીના સ્વરૂપે કૂચ કરી. આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત અનેક આગેવાનો જોડાયા હતા. રેલીનો ઉદ્દેશ્ય વીરપુરમાં ખરીદાયેલી જમીનના ભાવ અને તેની પાછળની વાસ્તવિક પરિસ્થિતિની તપાસ કરવાનો હતો.
અમૂલ
ડેરીના ડિરેક્ટરનો આક્ષેપ

અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, “અમૂલમાં છેલ્લા એક વર્ષથી ભ્રષ્ટાચારની વાતો ચાલી રહી છે, પછી તે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ હોય કે બહારના લોકોને પૈસા લઈને નોકરી આપવાની બાબત હોય. આ તમામ મુદ્દાઓને ખુલ્લા પાડવા અમે વીરપુર ખાતે સ્થળની મુલાકાતે જઈ રહ્યા છીએ. અમે જમીનના ભાવ અને વાસ્તવિક સ્થિતિની તપાસ કરીશું.”
જમીન
ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ

ડેરીના અન્ય ડિરેક્ટર ભરતસિંહ પરમારે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું, “અમૂલ ડેરી એટલે પશુપાલકોની સંસ્થા. પશુપાલકો રાત-દિવસ મહેનત કરીને દૂધ પહોંચાડે છે, પરંતુ દૂધ અને વેપારનો નફો તેમના કામમાં આવતો નથી. વીરપુરમાં જમીન ખરીદીમાં ભારે ગેરરીતિ થઈ છે. જે જમીન ગુંઠે 40,000 રૂપિયામાં મળે તેનો ભાવ 4 લાખ રૂપિયા ગુંઠો નક્કી કરાયો છે. આ પશુપાલકોની મહેનતની કમાણીનો દુરુપયોગ છે. અમે આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ.”
વીરપુરમાં સેમિનારનું આયોજન

રેલી બાદ વીરપુર ખાતે પશુપાલકો માટે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા થશે અને અમૂલને બચાવવા માટે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. પશુપાલકોનો આક્રોશ સ્પષ્ટ છે કે, “અમૂલ આપણી છે, અને અમારા પૈસાનો દુરુપયોગ અમે સહન નહીં કરીએ.

અમૂલ ડેરી, જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હેઠળ કાર્યરત છે, તે 3.6 મિલિયન પશુપાલકોની સહકારી સંસ્થા છે. 1946માં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ સંસ્થા ભારતની સફેદ ક્રાંતિનું પ્રતીક બની છે. જોકે, તાજેતરના વર્ષોમાં રાજકીય હસ્તક્ષેપ અને ભ્રષ્ટાચારના આરોપોએ અમૂલની પ્રતિષ્ઠાને અસર કરી છે.

પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે આક્ષેપ

પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે આક્ષેપ કર્યો છે કે અમૂલે વીરપુરમાં રૂ.40, 000 પ્રતિ ગુંઠાની જમીન રૂ.4,00,000 પ્રતિ ગુંઠાના ઊંચા ભાવે ખરીદી છે. તેમણે આને પશુપાલકોના હિત વિરુદ્ધ ગણાવી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જોકે, અમૂલના બાલાસિનોરના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠકે ખરીદીને પારદર્શક ગણાવી છે. કેસરીસિંહે દાવો કર્યો કે આ જમીન હલકી ગુણવત્તાની છે અને માંગ કરી કે ખેડૂતને ચૂકવાયેલી રકમ સિવાયના વધારાના પૈસા અમૂલમાં પરત કરવામાં આવે. તેમણે શાસકોને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો અને કહ્યું કે જો પપ્પુભાઈ, વિપુલભાઈ અને કાંતિકાકાને પોતાની કામગીરી પર વિશ્વાસ હોય, તો તેઓ તેમના માતર બ્લોકમાં ચૂંટણી લડીને જીતી બતાવે.

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 5 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ