
Love Marriage: રાજ્યમાં માતાપિતાની મંજૂરી વગર સંતાનો ભાગીને લગ્ન કરવાના વધતા બનાવોને લઈ સમાજમાં ચિંતા જોવા મળી રહી છે અને વિવિધ સમાજની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડુ લગ્નની નોંધણી સીધી રીતે નહીં થઈ શકે અને તે માટે વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની જાહેરાત થઈ શકે છે એટલે કે તલાટી મંત્રી જેવા વર્ગ 3ની લગ્ન નોંધણીની જવાબદારી બદલાઈ શકે છે.ઉલ્લેખનીય છે કે,અગાઉ વિવિધ સમાજની આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને જે-તે સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પ્રેમ લગ્નો માટે માતાપિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે.
બંધારણ ન નડે એ રીતે દીકરીઓનાં પ્રેમલગ્ન બાબતે કોઈ વચલો રસ્તો કાઢવા સરકારે તજવીજ હાથ ધરી છે.આ વિષય ઉપર ધ ગુજરાત રિપોર્ટ ઉપર સર્વશ્રી સિનિયર પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલ સાથે ડો.જય નારાયણ વ્યાસ જોડાયા છે જેમાં આ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે,The Gujarat Report પર પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









