
Kedarnath Yatra: હાલ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરુ થઈ ગઈ છે. ભક્તો ચાર ધામની યાત્રાએ પહોંચી રહ્યા છે. જોકે આ દરમિયાન એક મહિલાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે કેદારનાથ ન આવવાનું કહે છે. કારણ કે ત્યા ખૂબ સ્થિતિ ખરાબ છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કોઈ વ્યવસ્થા નથી. અહીં મહાકુંભ જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.
કેદારનાથમાં લોકોની એટલી ભીડ થઈ રહી છે કે એક મહિલાને દર્શન કર્યા વગર પાછા જવું પડ્યું હતુ. દર્શન કર્યા વગર પાછી ફરનારી મહિલાએ સરકારને આડે હાથ લીધી હતી. તેણે કહ્યું કે અહીં કોઈ જ સુવિધા નથી. તેણે રડતાં રડતાં કહ્યું કે મારે દર્શન કર્યા વગર પાછા જવું પડી રહ્યું છે. અહીં વિદેશી દર્શનાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ઘણી મહિલાઓ બેભાન થઈ હોવાના પણ સમાચાર છે. વધારે ભીડ અને દોડા દોડીમાં કેટલીંક મહિલાઓની તબિચત લથડી ગઈ છે. પોલીસ પણ મદદ કરી રહી નથી. ઈમરજન્સી નંબર પર ફોન લગાવવા છતાં તંત્ર મદદ કરી રહ્યું નથી. ફોન કરીએ તો કોઈ પણ આવતું નથી. તેમ ભક્તો જાણાવી રહ્યા છે.
સાંભળો આ મહિલા શા માટે કહી રહી છે “કેદારનાથ ના આવશો” #kedarnath #yatra #LatestNews pic.twitter.com/dWA8Xye7qF
— The Gujarat Report (@TGujarat_Report) May 5, 2025
ટ્રેકિંગની મુશ્કેલીઓ:
કેદારનાથ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ શારીરિક રીતે મુશ્કેલ છે, ખાસ કરીને વયસ્ક અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા ભક્તો માટે. જો કે, હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે, જેનાથી ટ્રેક ન કરી શકનારા લોકો માટે મદદ મળી રહી છે, પરંતુ આ છતાં ઘણા માટે ટ્રેકિંગ એક મુશ્કેલી રહી છે.
આ પણ વાંચોઃ
CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!
ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war
Result: ધો- 12નું પરિણામ જાહેર, કયા જીલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી?
E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’
