Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

  • India
  • February 24, 2025
  • 0 Comments

NGT on Mahakumbh: પ્રયાગરાજ મહાકુંભ હવે સમાપ્ત થવાના આરે છે. શિવરાત્રી બાદ મહાકુંભ સમાપ્ત થશે. ત્યારે છેલ્લે છેલ્લે પણ લોકો મોટી સંખ્યામાં મહાકુંભમાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. આ મુદ્દો સમસ્યા બનતાં NGT  ખુલ્લામાં શૌચ કરવા અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. કારણ કે સરકાર શ્રધ્ધાળુઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.

કુંભ મેળામાં જતાં લોકોને સૌચાલયની ભારે હાલાકી પડી રહી છે. જેથી લોકો જ્યા ત્યા ખુલ્લામાં સૌચ કરવા મજૂબર બન્યા છે. જેને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ શનિવારે (22 ફેબ્રુઆરી, 2025) ઉત્તર પ્રદેશ સરકાર, પ્રયાગરાજ મેળા ઓથોરિટી અને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ  પાઠવી જવાબ માંગ્યો હતો. આ કેસની  સુનાવણી આજે  હતી.

સરકાર પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ

महाकुंभ 2025 की तस्वीर

NGTમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘પર્યાપ્ત સુવિધાઓના અભાવે લાખો લોકો અને પરિવારો ગંગા નદીના કિનારે ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે.’ કુંભ મેળાના સ્થળે  સ્વચ્છતા રાખવામાં અને શ્રધ્ધાળુંઓને સુવિધા પૂરી પાડવામાં  યુપી સરકાર નિષ્ફળ ગઈ છે.

મહાકુંભમાં શૌચાલયોનો અભાવ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘કુંભમાં ઉભા કરેલા 1.5 લાખ બાયો-ટોઇલેટ  લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા નથી.’ NGTમાં દાખલ કરાયેલી અરજીમાં યુપી સરકારને સ્વચ્છતા અને સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવા બદલ 10 કરોડ રૂપિયાનું પર્યાવરણીય વળતર દંડ સ્વરુપે  લાદવાની માંગ કરાઈ છે.

NGT શું છે?

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એક ખાસ સંસ્થા છે જે પર્યાવરણીય બાબતો માટે કામ કરે છે. NGT ને પર્યાવરણીય અદાલત કહેવામાં આવે છે. તેની સ્થાપના 18 ઓક્ટોબર 2010ના રોજ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2021માં, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને ‘વિશિષ્ટ’ ફોરમ તરીકે જાહેર કર્યું હતુ, અને કહ્યું કે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને દેશભરમાં પર્યાવરણીય મુદ્દાઓ અંગે પગલાં લેવાની સત્તા છે.

 

આ પણ વાંચોઃ Telangana: ટનલમાં ફસાયેલા લોકો 48 કલાક વિતવા છતાં બહાર આવ્યા નથી, જાણિતી રેસ્કયૂ ટીમ સિલ્ક્યારા જોડાઈ

આ પણ વાંચોઃ Surat: વરાછામાંથી દેહવિક્રયનો પર્દાફાશ, કૂટણખાનું ચાલાવનાર મહિલાની ધરપકડ

આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

આ પણ વાંચોઃ  Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 8 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?