
NGT on Mahakumbh: પ્રયાગરાજ મહાકુંભ હવે સમાપ્ત થવાના આરે છે. શિવરાત્રી બાદ મહાકુંભ સમાપ્ત થશે. ત્યારે છેલ્લે છેલ્લે પણ લોકો મોટી સંખ્યામાં મહાકુંભમાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. આ મુદ્દો સમસ્યા બનતાં NGT ખુલ્લામાં શૌચ કરવા અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. કારણ કે સરકાર શ્રધ્ધાળુઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.
કુંભ મેળામાં જતાં લોકોને સૌચાલયની ભારે હાલાકી પડી રહી છે. જેથી લોકો જ્યા ત્યા ખુલ્લામાં સૌચ કરવા મજૂબર બન્યા છે. જેને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ શનિવારે (22 ફેબ્રુઆરી, 2025) ઉત્તર પ્રદેશ સરકાર, પ્રયાગરાજ મેળા ઓથોરિટી અને ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. આ કેસની સુનાવણી આજે હતી.
સરકાર પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ
NGTમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘પર્યાપ્ત સુવિધાઓના અભાવે લાખો લોકો અને પરિવારો ગંગા નદીના કિનારે ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે.’ કુંભ મેળાના સ્થળે સ્વચ્છતા રાખવામાં અને શ્રધ્ધાળુંઓને સુવિધા પૂરી પાડવામાં યુપી સરકાર નિષ્ફળ ગઈ છે.
મહાકુંભમાં શૌચાલયોનો અભાવ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘કુંભમાં ઉભા કરેલા 1.5 લાખ બાયો-ટોઇલેટ લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા નથી.’ NGTમાં દાખલ કરાયેલી અરજીમાં યુપી સરકારને સ્વચ્છતા અને સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવા બદલ 10 કરોડ રૂપિયાનું પર્યાવરણીય વળતર દંડ સ્વરુપે લાદવાની માંગ કરાઈ છે.
NGT શું છે?
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એક ખાસ સંસ્થા છે જે પર્યાવરણીય બાબતો માટે કામ કરે છે. NGT ને પર્યાવરણીય અદાલત કહેવામાં આવે છે. તેની સ્થાપના 18 ઓક્ટોબર 2010ના રોજ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2021માં, સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને ‘વિશિષ્ટ’ ફોરમ તરીકે જાહેર કર્યું હતુ, અને કહ્યું કે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને દેશભરમાં પર્યાવરણીય મુદ્દાઓ અંગે પગલાં લેવાની સત્તા છે.
આ પણ વાંચોઃ Telangana: ટનલમાં ફસાયેલા લોકો 48 કલાક વિતવા છતાં બહાર આવ્યા નથી, જાણિતી રેસ્કયૂ ટીમ સિલ્ક્યારા જોડાઈ
આ પણ વાંચોઃ Surat: વરાછામાંથી દેહવિક્રયનો પર્દાફાશ, કૂટણખાનું ચાલાવનાર મહિલાની ધરપકડ
આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!
આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?