Maharashtra: કેન્દ્રીય મંત્રીની પુત્રીની છેડતી કરનાર 4 શખ્સો ઝડપાયા, હજુ 3 ફરાર

  • India
  • March 4, 2025
  • 0 Comments

Maharashtra Crime:   મહારાષ્ટ્રના જલગાંવમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે થયેલી છેડતી કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હજુ પણ 3 આરોપીઓ ફરાર છે. તેમને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જલગાંવના એસપી મહેશ્વર રેડ્ડીના જણાવ્યું કે છેડતી કેસમાં 2 માર્ચે મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ અનિકેત ભોઈ, કિરણ માલી, અનુજ પાટિલ છે. આરોપી અનિકેતનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે. ચોથો આરોપી સગીર છે.

એસપીએ વધુમાં કહ્યું 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બાકીના આરોપીઓની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને કડક સજા મળે તે માટે કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

આરોપીઓને ફાંસી આપવી જોઈએ: MLA આદિત્ય 

આ મામલે મીડિયા સાથે વાત કરતા શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે કોઈપણ પાર્ટી કાર્યકર જે મહિલા પર અત્યાચાર કરે છે. તેની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવો જોઈએ અને તેને જાહેરમાં  ફાંસીના માચડે ચઢાવવા જોઈએ. આવા લોકોને સજા થવી જોઈએ, પછી ભલે તેઓ કોઈપણ પક્ષના હોય.

કેન્દ્રીય મંત્રીએ પોતે છેડતીના કેસ અંગે ફરિયાદ નોંધાવી 

ગત રવિવારે  છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો કે મહારાષ્ટ્રના જલગાંવના મુક્તાઈ નગર વિસ્તારમાં એક મેળામાં કેન્દ્રીય મંત્રીની પુત્રી બહેનપણીઓ સાથે ફરવા ગઈ હતી. ત્યારે 7 શખ્સોએ છેડતી કરી હતી. મંત્રી રક્ષા ખડસેએ પોતે મુક્તાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રક્ષા ખડસેએ માંગ કરી છે કે પોલીસ છેડતી કરનારાઓની ધરપકડ કરે. અને કહ્યું કે જો આટલી બધી સુરક્ષા વચ્ચે લોકોને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તો સામાન્ય છોકરીઓનું શું થશે.

એસડીપીઓ કૃષ્ણાત પિંગળેએ જણાવ્યું કે 28 ફેબ્રુઆરીએ કોઠાલી ગામમાં યાત્રા હતી. આ સફર દરમિયાન, અનિકેત ઘુઇ અને તેના 7 મિત્રોએ 3-4 છોકરીઓનો પીછો કરી છેડતી કરી હતી. અમે POCSO  અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

 

આ પણ વાંચોઃ UP વિધાનસભામાં કોણ થૂકી ગયું? અધ્યક્ષ મગનું નામ મરી પડવા તૈયાર નથી, શું નામ આપતાં ડરે છે? |UP Assembly Spit

આ પણ વાંચોઃ ‘કુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ ગુનાની એકપણ ઘટના નહીં’, આખરે યોગી કહેવા શું માગે છે? |Mahakumbh

આ પણ વાંચોઃ હવે ગાંધીનગરમાં લેબ ટેક્નિશિયનોનું ઉપવાસ આંદોલન, જાણો કેમ ઉપવાસ પર ઉતર્યા? |Lab Technician Movement

 

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 17 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 12 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 12 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર