Maharashtra: કેન્દ્રીય મંત્રીની પુત્રીની છેડતી કરનાર 4 શખ્સો ઝડપાયા, હજુ 3 ફરાર

  • India
  • March 4, 2025
  • 0 Comments

Maharashtra Crime:   મહારાષ્ટ્રના જલગાંવમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે થયેલી છેડતી કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હજુ પણ 3 આરોપીઓ ફરાર છે. તેમને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જલગાંવના એસપી મહેશ્વર રેડ્ડીના જણાવ્યું કે છેડતી કેસમાં 2 માર્ચે મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ અનિકેત ભોઈ, કિરણ માલી, અનુજ પાટિલ છે. આરોપી અનિકેતનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે. ચોથો આરોપી સગીર છે.

એસપીએ વધુમાં કહ્યું 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બાકીના આરોપીઓની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને કડક સજા મળે તે માટે કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

આરોપીઓને ફાંસી આપવી જોઈએ: MLA આદિત્ય 

આ મામલે મીડિયા સાથે વાત કરતા શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે કોઈપણ પાર્ટી કાર્યકર જે મહિલા પર અત્યાચાર કરે છે. તેની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવો જોઈએ અને તેને જાહેરમાં  ફાંસીના માચડે ચઢાવવા જોઈએ. આવા લોકોને સજા થવી જોઈએ, પછી ભલે તેઓ કોઈપણ પક્ષના હોય.

કેન્દ્રીય મંત્રીએ પોતે છેડતીના કેસ અંગે ફરિયાદ નોંધાવી 

ગત રવિવારે  છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો કે મહારાષ્ટ્રના જલગાંવના મુક્તાઈ નગર વિસ્તારમાં એક મેળામાં કેન્દ્રીય મંત્રીની પુત્રી બહેનપણીઓ સાથે ફરવા ગઈ હતી. ત્યારે 7 શખ્સોએ છેડતી કરી હતી. મંત્રી રક્ષા ખડસેએ પોતે મુક્તાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રક્ષા ખડસેએ માંગ કરી છે કે પોલીસ છેડતી કરનારાઓની ધરપકડ કરે. અને કહ્યું કે જો આટલી બધી સુરક્ષા વચ્ચે લોકોને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તો સામાન્ય છોકરીઓનું શું થશે.

એસડીપીઓ કૃષ્ણાત પિંગળેએ જણાવ્યું કે 28 ફેબ્રુઆરીએ કોઠાલી ગામમાં યાત્રા હતી. આ સફર દરમિયાન, અનિકેત ઘુઇ અને તેના 7 મિત્રોએ 3-4 છોકરીઓનો પીછો કરી છેડતી કરી હતી. અમે POCSO  અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

 

આ પણ વાંચોઃ UP વિધાનસભામાં કોણ થૂકી ગયું? અધ્યક્ષ મગનું નામ મરી પડવા તૈયાર નથી, શું નામ આપતાં ડરે છે? |UP Assembly Spit

આ પણ વાંચોઃ ‘કુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ ગુનાની એકપણ ઘટના નહીં’, આખરે યોગી કહેવા શું માગે છે? |Mahakumbh

આ પણ વાંચોઃ હવે ગાંધીનગરમાં લેબ ટેક્નિશિયનોનું ઉપવાસ આંદોલન, જાણો કેમ ઉપવાસ પર ઉતર્યા? |Lab Technician Movement

 

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી