Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!

  • India
  • October 31, 2025
  • 0 Comments

Mallikarjun Kharge on RSS:એક તરફ સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના કેવડીયામાં PM મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે તેવા સમયે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલે જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તે ફરીથી મૂકી દેવો જોઈએ.તેમણે કહ્યું હતું કે, “મારો અંગત અભિપ્રાય એ છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ.” સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે આ વાત કહી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરીથી પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે આ સંગઠને દેશમાં કાયદો અને વ્યવસ્થાને લગતી ઘણી બધી ગરબડો કરી પથારી ફેરવી નાખી છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન સંબંધિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ.” કોંગ્રેસ અધ્યક્ષે એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂઠાણાને સત્યમાં ફેરવવામાં નિષ્ણાત છે.

ખડગેએ ૧૯૪૮માં સરદાર પટેલ દ્વારા જારી કરાયેલા પત્રનો ઉલ્લેખ કરીને આરએસએસ પર નિશાન સાધ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું, “આ મારા અંગત વિચારો છે, અને હું ખુલ્લેઆમ કહું છું કે આરએસએસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
જો વડા પ્રધાન વલ્લભભાઈ પટેલના વિચારોનું સન્માન કરતા હોય, તો તે થવું જોઈએ.
દેશમાં કાયદો અને વ્યવસ્થામાં આવતી બધી સમસ્યાઓની દેન ભાજપ અને આરએસએસની છે.”

ખડગેએ સરદાર પટેલના પત્રમાં શું લખ્યું હતું તે પણ કહ્યું જે આ મુજબ છે

ખડગેએ કહ્યું કે સરદાર પટેલે ૪ ફેબ્રુઆરી, ૧૯૪૮ ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે આરએસએસના સભ્યોએ મહાત્મા ગાંધીના મૃત્યુ પર આનંદ વ્યક્ત કર્યો હતો અને મીઠાઈઓ વહેંચી હતી, જેનાથી વિરોધ પ્રદર્શન વધુ ભડક્યા હતા. આ સંજોગોમાં, સરકાર પાસે સંઘ સામે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.સરદાર પટેલે શ્યામા પ્રસાદ મુખર્જીને આ પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે અહેવાલો દર્શાવે છે કે આરએસએસ અને હિન્દુ મહાસભાના રાજકારણ દ્વારા દેશમાં બનાવેલા વાતાવરણને કારણે ગાંધીજીની હત્યા થઈ હતી ત્યારબાદ પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ RSS અને BJP પર આકરા પ્રહારો કર્યા, અને દાવો કર્યો કે દેશમાં મોટાભાગની કાયદો અને વ્યવસ્થામાં થઈ રહેલી ગરબડ અને સમસ્યાઓ માટે RSS અને BJP જવાબદાર છે.તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી પાત્રને બચાવવા માટે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો.
જો BJP દરેક બાબત માટે કોંગ્રેસને દોષી ઠેરવે છે, તો તેમણે પોતાના કાર્યો પર પણ નજર નાખવી જોઈએ.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 7 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 7 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 6 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 6 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?