મણિપુર: હિંસા ફાટી નિકળવાથી લઈને સીએમ એન બિરેન સિંહના રાજીનામા સુધી; પાછલા 21 મહિનાઓમાં શું-શું થયું?

  • મણિપુર: હિંસા ફાટી નિકળવાથી લઈને સીએમ એન બિરેન સિંહના રાજીનામા સુધી; પાછલા 21 મહિનાઓમાં શું-શું થયું?

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

આના થોડા કલાકો પહેલા શનિવારે, એન બિરેન સિંહે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર સોશિયલ મીડિયા પર ભાજપના કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.

બિરેન સિંહના રાજીનામાના સમાચાર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન મણિપુરમાં વ્યાપક હિંસા થઈ છે અને વિપક્ષી પક્ષો એન બિરેન સિંહ પર હિંસાનો સામનો કરવામાં વિલંબ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

મે 2023: મણિપુરમાં હિંસા ફાટી નીકળી

મણિપુરમાં હિંસાનો સમયગાળો લગભગ દોઢ વર્ષ પહેલા શરૂ થયો હતો.

27 માર્ચ, 2023 ના રોજ મણિપુર હાઈકોર્ટે એક આદેશમાં રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિની યાદીમાં મૈતેઈ સમુદાયનો સમાવેશ કરવા માટે ઝડપથી વિચાર કરવા જણાવ્યું હતું.

આ આદેશના થોડા દિવસો પછી 3 મે, 2023 ના રોજ રાજ્યમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી હતી. આમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર દ્વારા આયોજિત જાહેર રેલી હિંસક બન્યા બાદ વહીવટીતંત્રે જોતાં જ ગોળીબારનો આદેશ પણ જારી કર્યો હતો.

ત્યારબાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સેના અને આસામ રાઇફલ્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-તિરુપતિ મંદિર લાડુ વિવાદ: SITએ 4 લોકોની ધરપકડ કરી, પશુઓની ચરબીવાળું ઘી વેચતાં હતા, મુખ્યમંત્રીના આક્ષેપ સાચા!

આ હિંસાને કારણે જાહેર સંપત્તિને નુકસાન થવાની સાથે-સાથે હજારો લોકો બેઘર પણ બન્યા અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

રાજ્યના મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગને આ હિંસાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

મણિપુરના પર્વતીય વિસ્તારોમાં રહેતા કુકી જાતિના લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

પાછળથી ફેબ્રુઆરી 2024 માં મણિપુર હાઈકોર્ટે તેના અગાઉના આદેશમાંથી તે ભાગ દૂર કર્યો જેમાં મૈતેઈ સમુદાય માટે ST દરજ્જાની ભલામણ કરવામાં આવી હતી.

હિંસાથી પ્રભાવિત મૈતેઈ અને કુકી સમુદાયના મોટી સંખ્યામાં લોકો હજુ પણ રાહત શિબિરોમાં રહે છે. કેટલાક લોકોને ભાગીને પડોશી રાજ્ય મિઝોરમમાં આશરો લેવો પડ્યો હતો.

મણિપુર સરકારના જણાવ્યા અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે.

મણિપુરમાં શરૂ થયેલી આ હિંસા છેલ્લા 21 મહિનામાં પણ સંપૂર્ણપણે શાંત થઈ નથી અને રાજ્યમાંથી હિંસાના સમાચાર આવતા રહે છે.

અમિત શાહની મુલાકાત અને બિરેન સિંહનો દાવો

મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે તે જ વર્ષના મે મહિનાના અંતમાં મણિપુરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી એન બિરેન સિંહે દાવો કર્યો હતો કે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 20 હજાર લોકોને બહાર કાઢીને કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમિત શાહે વિવિધ વર્ગો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી એ સરકારની પહેલી પ્રાથમિકતા છે.

ત્યારબાદ સેના, પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને શાંતિ ભંગ કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો.

જુલાઈ 2023: બે મહિલાઓનો નગ્ન પરેડ કરાવવાનો વીડિયો આવ્યો સામે

19 જુલાઈ 2023 ના રોજ મણિપુરમાં થયેલી હિંસાએ વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવી – જ્યારે બે કુકી મહિલાઓને નગ્ન પરેડ કરાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.

મણિપુર પોલીસે વીડિયોની પુષ્ટિ કરી અને કહ્યું કે આ મહિલાઓ 4 મેના રોજ મણિપુરના થૌબલ જિલ્લામાં જાતીય શોષણનો ભોગ બની હતી.

સંસદના ચોમાસુ સત્ર પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયા સાથે વાત કરવા આવ્યા ત્યારે તેમણે મણિપુરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમનું હૃદય પીડાથી ભરાઈ ગયું છે.

પીએમ મોદીએ કહ્યું કે દેશનું અપમાન થઈ રહ્યું છે અને ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

આ પહેલી વાર હતું જ્યારે વડા પ્રધાન મોદીએ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર કંઈક કહ્યું હતું.

અગાઉ વિપક્ષ લાંબા સમયથી પીએમ મોદીના મણિપુર પર ન બોલવા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યો હતો.

આ એક એવો મુદ્દો હતો જેના પર મણિપુર સરકારની ચારે બાજુથી ટીકા થઈ હતી.

આ દરમિયાન જુલાઈના અંતમાં ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ કહ્યું હતું કે, “મણિપુરમાં જે કંઈ થઈ રહ્યું છે તેમાં વિદેશી એજન્સીઓની સંડોવણી નકારી શકાય નહીં. સરહદી રાજ્યોમાં અસ્થિરતા દેશની એકંદર રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી નથી.”

તેમણે એ પણ ભાર મૂક્યો કે “વિવિધ બળવાખોર જૂથોને કથિત ચીની સહાય ઘણા વર્ષોથી ચાલી રહી છે.”

ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે “રાષ્ટ્રીય સુરક્ષા પરિપ્રેક્ષ્ય” વિષય પર આયોજિત ચર્ચા દરમિયાન જનરલ નરવણેએ મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે આ વાતો કહી હતી.

આ પણ વાંચો- Donald Trump: અમેરિકા સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ટેક્સ વસૂલશે, આ દેશોને થશે અસર!, ટ્રમ્પની શું છે આગળની નીતી?

જાન્યુઆરી 2024

પાછલા વર્ષે જાન્યુઆરી મહિનાના મધ્યમાં 48 કલાકમાં અલગ-અલગ જગ્યા પર થયેલી હિંસામાં પાંચ નાગરિકો સહિત બે સુરક્ષાકર્મચારીઓના મોત થઈ ગયા હતા.

આમાંથી એક કેસ વિષ્ણુપુર જિલ્લાનો હતો. અહીં શંકાસ્પદ હથિયારબંધ હુલ્લડખોરોએ ગુરૂવારે સાંજે એક પિતા-પુત્ર સહિત ચાર લોકોની હત્યા કરી દીધી હતી.

તે સમયે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરથી મુંબઈ સુધી 6,700 કિલોમીટરથી વધારેની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી.

મણિપુરની રાજધાની ઈમ્ફાલથી નજીક થૌબલમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓની હાજરીમાં એક મોટી રેલી સામે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મણિપુર જે દર્દમાંથી પસાર થઈ રહ્યો છે, અમે તે દર્દને સમજીએ છીએ.

તેમણે કહ્યું, અમે વચન આપીએ છીએ કે તે શાંતિ, પ્રેમ, એકતાને પરત લાવીશું, જેના માટે આ રાજ્ય હંમેશા ઓળખાતું હતું.

એપ્રિલ 2024: પીએમ મોદીએ કરી મણિપુરની વાત

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પછી પીએમ નરેન્દ્ર મોદીએ એક વખત ફરીથી મણિપુર મુદ્દા પર વાત કરી હતી. ચૂંટણી જાહેરાત પછી પ્રથમ વખત તેમણે મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસ સમાચારે આ સમાચારને પ્રથમ પેજ પર જગ્યા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના સમય રહેતા દખલ આપવા અને રાજ્ય સરકારની કોશિશના કારણે મણિપુરની સ્થિતિમાં સુધાર આવ્યો છે.

પીએમ મોદીએ ધ અસમ ટ્રિબ્યૂન સમાચારને ઈન્ટરવ્યુ આપ્યો હતો.

આ મુલાકાતમાં પીએમ મોદીએ કહ્યું, “અમારું માનવું છે કે પરિસ્થિતિનો સંવેદનશીલતાથી સામનો કરવો એ દરેકની સામૂહિક જવાબદારી છે. મેં આ વિશે સંસદમાં પણ અગાઉ વાત કરી છે. આ સંઘર્ષને ઉકેલવા માટે અમે અમારા શ્રેષ્ઠ સંસાધનો, વહીવટ, નો ઉપયોગ કર્યો છે.

એપ્રિલ 2024: યુકે સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો

મણિપુરમાં થયેલી હિંસાની ચર્ચા ફક્ત વિશ્વભરના ઘણા અખબારોમાં જ નહોતી થઈ, પરંતુ એપ્રિલ 2024માં બ્રિટિશ સંસદમાં પણ ‘મણિપુર અને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની વર્તમાન સ્થિતિ’નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

વિન્ચેસ્ટરના લોર્ડ બિશપના પ્રશ્નના જવાબમાં તત્કાલીન બ્રિટિશ વિદેશ સચિવ, ડેવિડ કેમેરોને, હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યોને સંબોધતા કહ્યું હતું કે ભારત તેના બંધારણ દ્વારા ધાર્મિક સ્વતંત્રતા અને માન્યતા માટે પ્રતિબદ્ધ છે.

વિદેશ બાબતો અને કોમનવેલ્થ દેશોના વિભાગના પ્રભારી ડેવિડ કેમેરોને કહ્યું, “જો આ સંદર્ભમાં કોઈ ચોક્કસ મુદ્દો કે ચિંતા ઊભી થાય તો બ્રિટિશ સરકાર ચોક્કસપણે આ મુદ્દાઓ ભારત સરકાર સમક્ષ ઉઠાવશે.”

સપ્ટેમ્બર 2024

મણિપુરના ઇમ્ફાલ જિલ્લામાં 1 સપ્ટેમ્બરના રોજ થયેલી તાજી હિંસામાં એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. રાજ્યમાં ચાર મહિનાથી હિંસાના છૂટાછવાયા બનાવો જ બની રહ્યા હતા.

મણિપુર પોલીસે દાવો કર્યો હતો કે હુમલાખોરોએ ડ્રોનની મદદથી લોકો પર હુમલો કર્યો હતો.

મણિપુર પોલીસે સોશિયલ મીડિયા દ્વારા હુમલાની માહિતી આપી હતી અને હુમલા પાછળ કથિત ‘કુકી ઉગ્રવાદીઓ’ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

એક અઠવાડિયાની અંદર મણિપુરના જીરીબામ જિલ્લામાં હિંસાની ઘટનામાં ચાર શંકાસ્પદ આતંકવાદીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા.

આ હુમલો આસામની સરહદે આવેલા જીરીબામના મોંગબુંગ ગામ પાસે થયો હતો.

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ મૈતેઈ સમુદાયના એક વડીલની તેમના ઘરે હત્યા કર્યા પછી જીરીબામમાં હિંસા ફાટી નીકળી હતી.

આ પણ વાંચો- Earthquake Kutch: રાપરમાં અનુભવાયો ભૂકંપ, કેન્દ્ર બિંદુ અહીં નોંધાયું!

નવેમ્બર 2024: NPPએ ટેકો પાછો ખેંચ્યો

ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયેલી હિંસાની છૂટાછવાયા ઘટનાઓ નવેમ્બરમાં વધુ તીવ્ર બની હતી, જ્યારે 11 નવેમ્બરના રોજ સુરક્ષા દળો સાથેના કથિત એન્કાઉન્ટરમાં 10 સશસ્ત્ર શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.

આ હિંસા પછી મિઝોરમમાં રહેતા મૈતેઈ સમુદાયને ઝો રિયુનિફિકેશન ઓર્ગેનાઇઝેશન (ZORO)નામના સંગઠન તરફથી ધમકીઓ મળ્યા બાદ વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું.

જૂથે આરોપ લગાવ્યો હતો કે તટસ્થ દળ ગણાતા CRPF જવાનોએ 11 નવેમ્બરના રોજ 10 આદિવાસી યુવાનોની ગોળી મારીને હત્યા કરી હતી, જેનાથી મણિપુરમાં વંશીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો.

મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા પછી નેશનલ પીપલ્સ પાર્ટીએ ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. NPPના વડા મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે.

નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “નેશનલ પીપલ્સ પાર્ટી મણિપુરમાં વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે પરિસ્થિતિને વધુ ખરાબ થતી જોઈ છે, જ્યાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને રાજ્યના લોકો ખૂબ જ પીડાઈ રહ્યા છે.”

“અમને સ્પષ્ટપણે લાગે છે કે શ્રી બિરેન સિંહના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NPPએ તાત્કાલિક અસરથી મણિપુર રાજ્યમાં બિરેન સિંહના નેતૃત્વ હેઠળની સરકારને પોતાનો ટેકો પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.”

60 બેઠકોવાળી મણિપુર વિધાનસભામાં NPP ના 7 ધારાસભ્યો હતા જ્યારે 3 અપક્ષ ધારાસભ્યો છે. એનપીપીના ધારાસભ્ય જય કિશન સિંહ થોડા મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા.

ડિસેમ્બર: 2024

મોદી સરકારે હિંસાગ્રસ્ત મણિપુરના રાજ્યપાલ તરીકે ભારતીય વહીવટી સેવા અધિકારી અજય કુમાર ભલ્લાની નિમણૂક કરી હતી.

અજય ભલ્લા પહેલા આસામના રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય મણિપુરના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સંભાળી રહ્યા હતા.

અજય કુમાર ભલ્લા ગૃહ સચિવ પદ પણ સંભાળી ચૂક્યા છે અને તેમને અમિત શાહના નજીકના માનવામાં આવે છે.

અજય કુમાર ભલ્લા 1984 બેચના આસામ-મેઘાલય કેડરના IAS અધિકારી છે. કેન્દ્રમાં કામ કરતા પહેલા અજય ભલ્લાએ 2002 સુધી આસામ અને મેઘાલય રાજ્યોમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું.

જાન્યુઆરી 2025

મણિપુરના કાંગપોક્પી જિલ્લામાં એસપી ઓફિસ પર 3 જાન્યુઆરીની સાંજે ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એસપી મનોજ પ્રભાકર સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કેન્દ્રીય સુરક્ષા દળોને કથિત રીતે દૂર ન કરવાને કારણે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાની સરહદે આવેલા સાઈબોલ ગામમાં આ હુમલો થયો હતો. અહીંના ગ્રામજનો સુરક્ષા દળોથી ગુસ્સે હતા.

31 ડિસેમ્બરે સાઈબોલ ગામમાં સુરક્ષા દળો દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ સામે કુકી સંગઠનો સતત વિરોધ કરી રહ્યા હતા.

આના એક દિવસ પછી અહીં એક મોટું પ્રદર્શન યોજવામાં આવ્યું, ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો એસપી ઓફિસ પાસે એકઠા થયા. તેમની માંગ હતી કે સાઈબોલમાં તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળોને દૂર કરવામાં આવે.

મણિપુર પોલીસે આ ઘટના અંગે એક નિવેદન જારી કરીને કહ્યું, “સુરક્ષા દળોએ હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો અને ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કાંગપોકપીના એસપીની સારવાર કરવામાં આવી છે અને તેઓ હવે સ્વસ્થ છે. મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.”

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હિંસામાં 15 વિરોધીઓ ઘાયલ થયા છે.

આ પણ વાંચો- Ahmedabad: એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ફ્લાઈટમાંથી મળી ચીઠ્ઠી

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

  • August 15, 2026
  • 3 views
Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

  • August 15, 2026
  • 4 views
Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 7 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 8 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 5 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 11 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું