મનમોહન સિંહે જનતાને આપ્યો માહિતીનો અધિકાર તો ગરીબો માટે લાવ્યા મનરેગા યોજના

  • India
  • December 27, 2024
  • 1 Comments

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ડૉ.મનમોહન સિંહના નામે ઘણી ઉપલબ્ધિઓ છે. આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું.

મનમોહન સિંહ જનતાના દરેક વર્ગ માટે વિચારતા હતા. તેથી જ તેઓ ગરીબોથી લઈને ઉદ્યોગપતિઓને મુશ્કેલીઓ દૂર કરવા માટેની જ યોજનાઓ લોન્ચ કરતાં હતા. બધા જ વર્ગોના ઉત્થાન અને વિકાસ માટે સતત કાર્યશીલ રહેતા મનમોહન સિંહના નામે એક નહીં પરંતુ અનેક સિદ્ધિઓ રહેલી છે.

મનમોહન સિંહ જ હતા કે, તેમના કાર્યકાળમાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું. તો એક વખત ફરીથી ખેડૂતોના દેવા માફ કરવાનું કોંગ્રેસ તરફથી વચન આપવામાં આવ્યું હતું પરંતુ 2024માં કોંગ્રેસની સરકાર સત્તામાં આવી શકી નહતી. નહીંતર બીજી વખત મનમોહનસિંહ પાસે જ જ ખેડૂતોનું દેવું માફ કરવા માટેની પ્લાનિંગ બનાવવું પડ્યું હોઈ શક્યું હોત.

ડૉ. મનમોહન સિંહે નાણામંત્રી તરીકે સેવા આપતાં 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સરકારી નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે જેણે ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું.

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (NREGA)

ડૉ. મનમોહન સિંહની સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો વર્ષ 2005માં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની વેતન રોજગારની બાંયધરી આપે છે, લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરે છે અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરે છે.

માહિતી અધિકાર અધિનિયમ (RTI)

વર્ષ 2005માં પસાર થયેલી માહિતી અધિકાર અધિનિયમ (RTI) નાગરિકોને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવા માટે સશક્ત બનાવે છે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે છે.

આધાર સુવિધા

આધાર પ્રોજેક્ટની શરૂઆત રહેવાસીઓને અનન્ય ઓળખ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી, જે વિવિધ સેવાઓની ઍક્સેસની સુવિધા આપે છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

ડૉ. મનમોહન સિંહની સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરી, જેણે કલ્યાણ વિતરણને સુવ્યવસ્થિત કર્યું અને ઘણી ખામીઓ દૂર કરી.

ખેડૂતો માટે લીધો હતો મોટો નિર્ણય

કૃષિ સંકટને દૂર કરવા માટે, ખેડૂતોને 60,000 કરોડ રૂપિયાની લોન માફી દ્વારા રાહત આપવામાં આવી હતી.

ભારત-અમેરિકા પરમાણુ કરાર

ડૉ.મનમોહન સિંહની સૌથી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરારની વાટાઘાટો હતી. આ કરાર હેઠળ ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં છૂટ મળી છે. આ અંતર્ગત ભારતને તેના નાગરિક અને સૈન્ય પરમાણુ કાર્યક્રમોને અલગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડીલ હેઠળ ભારતને એવા દેશોમાંથી યુરેનિયમની આયાત કરવાની છૂટ આપવામાં આવી હતી જેની પાસે આ ટેક્નોલોજી છે.

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 2 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 3 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 8 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!