Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે પાકિસ્તાની હિંદુઓ મહેસાણામાં ઘણા સમયથી વસવાટ કરતાં હોવાથી તે પાકિસ્તાન પાછા જવા માગતાં નથી. જોકે તંત્ર તેમના ઘરો ખાલી કરાવી રહ્યું છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે અમે પાકિસ્તાનથી માંડ માંડ આવ્યા છીએ. અમે મજૂરી કરી માંડ જીવીએ છીએ. પાકિસ્તાનમાં ખૂબ આતનાઓ ભોગવવી પડી રહી છે.

26થી વધુ લોકોના જીવ ગયા બાદ સરકારની કાર્યવાહી

પહેલાગામમાં 26થી વધુ લોકોના જીવ ગયા બાદ ભારતમાં રહેતાં પાકિસ્તાની નાગરિકો સામે ગાળિયો કસ્યો છે. 26 લોકોના જીવ ગયા બાદ કેન્દ્ર સરકારે સુરક્ષામાં ચૂક થયાનું સ્વીકારી પાકિસ્તાન પર કેટલાંક પ્રતિબંધો લાદી છે. જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત, પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા આદેશ સહિતના પગલાં ભર્યા છે. ભારતની કેન્દ્ર સરકારે 1 મે સુધી પાકિસ્તાનીઓને ભારતમાંથી નીકળી જવા કહ્યું છે. જેથી ભારતમાં  વર્ષોથી રહેતાં પાકિસ્તાની નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.  તેઓ કહી રહ્યા છે કે ભલે અમને ગોળી મારી દેવામાં આવે પણ અમે પાકિસ્તાન નહીં જઈએ. મહેસાણા સહિત કુકસ અને લાખવડમાં રહેતાં પાકિસ્તાની હિંદુ ખતરામાં મૂકાયા છે.

મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારના રામસિંહ ઠાકોરે જણાવ્યું કે, અમે પાકિસ્તાનમાં ઘણાં વર્ષો ત્રાસ સહન કર્યા બાદમાં 2018માં પરિવાર સાથે ભારતમાં આવ્યા છીએ. મારી દીકરી 2024માં આવી છે. અમારા પરિવારના 26 સભ્યો અહીં રહે છે. પાકિસ્તાનની પરિસ્થિતિ પહેલાં કરતાં ખરાબ છે, અહીંયાં પરિસ્થિતિ સારી છે. અમે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. તેમને બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.

મહેસાણામાં 1039 હિન્દુ અને 12 મુસ્લિમ શરણાર્થી

અમદાવાદ બાદ મહેસાણામાં સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ રહે છે. મહેસાણા જિલ્લામાં લોંગ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 790 હિન્દુ શરણાર્થી રહે છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 249 હિન્દુ શરણાર્થી મળી કુલ 1051 શરણાર્થી રહે છે. પહેલી માર્ચ પછી શોર્ટ ટર્મ વિઝા પર આવેલા 249 લોકો કુકસ અને લાખવડમાં રહે છે. તેમના 45 દિવસના વિઝા પૂરા થયા છે. હવે વિઝા રિન્યૂ થાય કે નહીં તે પ્રશ્ન ઉભો થયો છે.

આ પણ વાંચોઃ

 

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

 

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 2 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!