
Modi: ભારતની મોટાભાગની જનતા ધાર્મિક છે-ભોળી છે અને તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે,2014 પહેલાથી જ ટીવી ડિબેટ-સમાચાર-પ્રોગ્રામમાં જનતાને આવું બધું બતાવી ટીઆરપી વધારવાનો પ્રયાસ અને ત્યારબાદ રાજકીય લાભ લેવાનું શરૂ થયું.આ બધું દેશમાં ચાલતું રહ્યું છે જે એક પ્રજાને મૂર્ખ બનાવવાનો ધંધો થઈ ગયો છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મયુર જાનીએ પોતે જ્યારે ટેલિવિઝન મીડિયાનો એક ભાગ હતા ત્યારે તે સમયે અન્ય પત્રકારની જેમ તેઓએ પણ આવી ઘટનાઓ કવર કરી હોવાનું કહી ઉમેર્યુ કે તે સમયે ટીવી એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા જનતાને મૂર્ખ બનાવતું હતું જેનો અલગ અલગ રીતે રાજકીય પક્ષ ફાયદો લેતા થયા.આજે સમય બદલાયો છે પણ મૂળ મુદ્દો જનતાને મૂર્ખ બનાવવાનું આજે પણ ચાલુ છે.તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત દરમિયાન ડિબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લીધી તેનો વીડિયો બતાવી આજની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
પીએમ મોદીએ ચાના બગીચામાં જઈને શ્રમિક મહિલાઓની જેમ જ ચાની પત્તીઓ તોડવાનો અનુભવ લીધો અને ત્યાં કાર્યરત મહિલાઓ સાથે વાતચીત કરી, તેમની સંસ્કૃતિ વિશે જાણ્યું અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.વાતચીત દરમિયાન તેમણે પોતાનો ચા સાથેનો જૂનો સંબંધ યાદ કરતા કહ્યું હતું કે, “તમને ખબર છે, હું પણ ચા વાળો છું” વડાપ્રધાને આસામની ચાને રાજ્યની ઓળખ અને આત્મા ગણાવી હતી.
આ મુલાકાતને ૨૦૨૬ની આસામ વિધાનસભા ચૂંટણી પહેલાના પ્રચારના ભાગરૂપે ચા સમુદાયના લાખો મતદારો સાથે જોડાવાના એક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે.આમ,આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી હતી અને પોતાના વિચારો વ્યક્ત કરી પાર્ટીસિપેન્ટ કરનાર દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







