MODI: ભાજપની હિન્દુત્વની સરકાર હોવાછતાં હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી ગાય માતા અને ગૌ વંશની હત્યાઓ વધી છે આ અંગે ખુદ ભાજપ સરકારે કબુલ્યુ છે.સરકારે સ્વીકાર્યું છે કે વર્ષ 2025 દરમિયાન સમગ્ર રાજ્યમાં 22,046 કિલો ગૌ માંસ જપ્ત કરવામાં આવ્યું છે.ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં ગૌ હત્યા અને ગૌ વંશની તસ્કરીને લઈને સરકારે ઉપરોક્ત મુજબના આંકડા રજૂ કર્યા છે અને આ બાબતે કબૂલાત કરી છે.છેલ્લા બે વર્ષમાં ગૌ માંસની હેરાફેરીના કુલ 629 ગુના નોંધાયા છે, જેમાં 1,810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે.
ભાજપના રાજમાં ગૌહત્યા વધતા કોંગ્રેસ ધારાસભ્યોએ સવાલ ઉઠાવતા કહ્યું કે ગૌ સુરક્ષાના કડક કાયદા હોવા છતાં આટલી મોટી માત્રામાં ગૌ માંસ પકડાવું તે ચિંતાનો વિષય છે.જેનાથી સાબિત થઈ જાય છે કે ગૌ હત્યા અને માંસનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે અને ગૌવંશ ખતરામાં આવી ગયો છે.
મહત્વનું છે કે ગૌ હત્યા કરનારને આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડની જોગવાઈ કરવામાં આવી હોવાનું તે સમયના ગૃહરાજ્ય મંત્રીએ જાહેરમાં કહ્યુ હતુ તો પણ ગૌ હત્યાઓ વધી છે તેની સામે સવાલ ઉઠ્યા છે.આ અંગે સિનિયર પત્રકાર દીલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.






