
Modi: આજકાલ દેશમાં જે રીતે ઘટનાઓ બની રહી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે એક તરફ રાહુલને ગોળી મારવાની વાતો થઈ રહી છે તો સાવરકર શિવાજી મહારાજની કેટલીક વાતો પસંદ ન હતી જેની ટીકા સ્વરૂપે પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે.સાવરકરે શિવાજી મહારાજને હિન્દુ રાષ્ટ્રના પ્રતીક તરીકે જોયા. તેમણે “હિન્દુ પદ પદશાહી” અને “ભારતીય ઇતિહાસના છ ગૌરવપૂર્ણ યુગ” (સહા સોનેરી પાને) જેવા તેમના પુસ્તકોમાં શિવાજીના મરાઠા સામ્રાજ્ય અને તેમના સંઘર્ષની વ્યાપક પ્રશંસા કરી પરંતુ સાવરકરે કલ્યાણ સુબેદારની પુત્રવધૂ જેવી દુશ્મન મહિલાઓને સન્માનપૂર્વક પાછા મોકલવાની શિવાજી મહારાજની નીતિની ટીકા કરી હતી.
સાવરકરે માનતા હતા કે યુદ્ધમાં સ્ત્રીઓનો ઉપયોગ પ્યાદા તરીકે થવો જોઈએ, અને આ “ગુણ” ને કારણે શિવાજીએ એક મોટો રાજકીય ફાયદો ગુમાવ્યો હોવાનું તેઓનું માનવું છે.વાસ્તવિક રાજકારણ: સાવરકરે દલીલ કરી હતી કે શિવાજી મહારાજે તેમના સમયના જુલમી આક્રમણકારો સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈતો હતો આમ આ વાત ફરી ચર્ચામાં આવી છે.આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તુત રીતે છણાવટ કરી છે.પ્રસ્તુત છે વિડીયો.








