
Mumbai: આજે 20 માર્ચે બોમ્બે હાઈકોર્ટ યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માની છૂટાછેડા અરજી પર ચુકાદો આપશે. બુધવારે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની અલગ રહેતી પત્ની ધનશ્રી વર્માએ છૂટાછેડા માટે અરજી કર્યા બાદ હાઇકોર્ટે કાયદેસર રીતે ફરજિયાત છ મહિનાનો સમયગાળો માફ કરી દીધો હતો અને ફેમિલી કોર્ટને આજે એટલે કે ગુરુવાર સુધીમાં તેમની છૂટાછેડાની અરજી પર ચુકાદો આપવા આર્ડર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ બાર અને બેન્ચની વેબસાઇટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો સમય વિતાવ્યા વગર છૂટાછેડા આપવા ઓર્ડર કર્યો છે. તમને જણાવી દઈએ કે બંને કપલ ઘણા સમયથી અલગ રહે છે. આ આદેશ આપતી વખતે, હાઈકોર્ટે એમ પણ કહ્યું કે બંને છેલ્લા અઢી વર્ષથી અલગ રહી રહ્યા છે અને 4.75 કરોડ રૂપિયાના સમાધાન માટે પણ વાતચીત થઈ છે.
ચહલ અને ધનશ્રી વર્માએ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. છૂટાછેડા બંનેની સંમતિથી થતાં હોવાથી તેમણે કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
ગયા બુધવારે, જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે કહ્યું હતું કે ચહલને 21 માર્ચથી સમય નથી. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. ચહલ અને વર્માએ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ અહીંની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ચહલ અને તેની અલગ રહેતી પત્નીએ પરસ્પર સંમતિથી છૂટાછેડાની માંગણી કરી હોવાથી કાયદેસર રીતે ફરજિયાત છ મહિનાના સમયગાળાને માફ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખયની છે કે 20 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટે 6 મહિના રાહ જોવી પડશે તેવું તારણ આપ્યું હતુ. જેથી બંનેએ ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હિન્દુ લગ્ન કાયદા હેઠળ, દરેક યુગલે છૂટાછેડા આપી શકાય તે પહેલાં છ મહિનાનો આ સમયગાળો પૂર્ણ કરવો પડે છે. અરજી મંજૂર કરતી વખતે, ન્યાયાધીશ જામદારે કહ્યું, “અરજદાર નંબર 1 (ચહલ) ને IPL માં ભાગ લેવાનો હોવાથી, વકીલે રજૂઆત કરી છે કે તે 21 માર્ચ પછી ચહલ પાસે સમયન નથી. કારણે કે તે ક્રિકેટમાં ભાગ લેવાના જવાનો છે. તેથી, ફેમિલી કોર્ટને વિનંતી છે કે તેઓ આજે એટલે કે 20 માર્ચ સુધીમાં તેમની છૂટાછેડા અરજી પર ચુકાદો આપે.
આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital