Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

  • India
  • April 20, 2025
  • 4 Comments

Mumbai  Jain temple demolished protest: tમુંબઈ શહેરના વિલે પાર્લે વિસ્તારમાં જૈન મંદિર તોડી પાડવામાં આવ્યા છે. જેથી જૈન સમાજે આંદોલન કરી ભારે વિરોધ કર્યો છે. વિવાદ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શનિવારે એક સહાયક મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાખી છે. મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે કે-પૂર્વ વોર્ડના ઇન્ચાર્જ નવનાથ ઘાડગેની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. કે-ઈસ્ટ વોર્ડની એક ટીમે 16 એપ્રિલના રોજ નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અંદર સ્થિત એક જૈન મંદિરને ગેરકાયદેસર મંદિર હોવાનો દાવો કરી તોડી પાડ્યું હતુ.

જે બાદ રોષે ભરાયેલા જૈન સમાજે શનિવારે વોર્ડ ઓફિસ સુધી વિરોધ કૂચ કરી હતી. મહારાષ્ટ્ર ગૌશાળા સંઘના પરેશ શાહે દાવો કર્યો હતો કે ધાર્મિક નેતાઓ અને મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રસાદ લોઢા, સ્થાનિક ભાજપ ધારાસભ્ય પરાગ અલાવાણી અને કેટલાક અન્ય રાજકીય નેતાઓ સહિત 20,000 થી વધુ લોકોએ કૂચમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓના એક પ્રતિનિધિમંડળે માંગણીઓનું આવેદનપત્ર સુપરત કર્યું અને ઘાડગે સાથે બે કલાકની બેઠક કરી હતી.

પરેશ શાહે કહ્યું કે BMCના આ પગલાથી સમગ્ર જૈન સમુદાય દુઃખી છે. તેમણે માંગ કરી કે જેણે મંદિર તોડાવ્યું છે તે અધિકારીઓેને BMC સસ્પેન્ડ કરે. તેમણે દાવો કર્યો હતો કે ટ્રસ્ટીઓને જવાબ આપવા માટે સમય આપ્યા વિના મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.

પવન ખેડાએ શું કહ્યું?

કોંગ્રેસે પણ આ તોડી પાડવાની કાર્યવાહી માટે BMCની ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટર પર લખ્યું કે, 90 વર્ષ જૂના દિગંબર જૈન મંદિરને કોઈ પણ સુનાવણી વિના તોડી પાડવાની બીએમસીની કાર્યવાહીથી જૈન સમુદાય દુઃખી છે. પવન ખેડાએ પૂછ્યું કે, દેશમાં સહિષ્ણુતા અને સુમેળ સામે ભાજપ શું કરે છે?

90 વર્ષ જૂના દિગમ્બર મંદિરને BMC દ્વારા વિના સાંભળવા ધ્વસ્ત કરવા માટે જૈન સમાજ આહત છે. ધાર્મિક સ્થાનો અને સંસ્થાનોને સતત નિશાને જવાથી દેશ કે અલ્પસંખાયક સમાજમાં ભારે રોષ છે.

આ પણ વાંચોઃ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

 

 

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

One thought on “Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ