મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ આઠ ક્લાક ઉડ્યા પછી મુંબઈ પરત આવી; કારણ હતું ટોયેલટમાંથી મળેલો પત્ર

  • India
  • March 10, 2025
  • 0 Comments
  • મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ આઠ ક્લાક ઉડ્યા પછી મુંબઈ પરત આવી; કારણ હતું ટોયેલટમાંથી મળેલો પત્ર

સોમવારે સવારે મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-119 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 8 કલાક 37 મિનિટના ઉડાન ભર્યા પછી ફ્લાઇટને મુંબઈ તરફ ડ્રાઈવર્ડ કરી દેવામાં આવી હતી. ફ્લાઇટમાં 19 ક્રૂ મેમ્બર સહિત 322 મુસાફરો સવાર હતા.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના વોશરૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિમાનને મુંબઈ પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફ્લાઇટ 10:25 વાગ્યે મુંબઈ પહોંચી હતી.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI119 એ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 થી રાત્રે 1:43 વાગ્યે ન્યૂયોર્ક માટે ઉડાન ભરી હતી. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસમાં રોકાયેલી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતુ કે, મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે.

ફ્લાઈટને કરાઈ રિશેડ્યુલ

એરલાઇને જણાવ્યું હતું કે ફ્લાઇટ હવે 11 માર્ચે સવારે 5 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા, ભોજન અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે અમારી ટીમ સતત ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. અમારી ટોચની પ્રાથમિકતા મુસાફરો અને ક્રૂની સલામતી છે.

6 માર્ચે શિકાગો-દિલ્હી ફ્લાઇટને ટોયલેટ સંબંધિત સમસ્યાને કારણે કરાઈ હતી ડાયવર્ડ

આ પહેલા 6 માર્ચે શિકાગોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે ટેકઓફના પાંચ કલાક પછી શિકાગો પરત ફરવું પડ્યું હતું. સોમવારે એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 6 માર્ચ, 2025 ના રોજ ફ્લાઇટ ગ્રીનલેન્ડ ઉપર હતી, ત્યારે વિમાનના 12 માંથી 11 શૌચાલય બંધ થઇ ગયા હતા. લગભગ 300 મુસાફરો માટે ફક્ત એક જ શૌચાલય કાર્યરત રહ્યું, જે બિઝનેસ ક્લાસમાં હતું. આવી સ્થિતિમાં 14 કલાકની મુસાફરી પછી ફ્લાઇટને શિકાગોના ઓ’હેર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પાછા ફરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 6 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 10 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 14 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 25 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 34 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 41 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ