Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા

  • India
  • August 23, 2025
  • 0 Comments

Mumbai: આજે સવારે 7 વાગ્યાથી સીબીઆઈ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડી રહી છે. 7 થી 8 સીબીઆઈ અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ED પછી હવે CBI 17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી સાથે સંકળાયેલા સ્થળોએ શોધખોળ કરી રહી છે.17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીનો કેસ નોંધાયો છે.

અનિલ અંબાણીના ઘરે દરોડા

ED પછી હવે CBIએ ઘર સહિત અન્ય સ્થળોએ રેડ પાડી, રૂ. 2000 કરોડની લોન છેતરપિંડીનો કેસ અનિલ અંબાણી અને તેમની કંપની આર કોમ (રિલાયન્સ કમ્યુનિકેશન્સ) વિરુદ્ધ એસબીઆઈ અને કેનેરા બેંકે જે પ્રકારના નિર્ણયો લીધા તે આ બેંકોની કાર્યશૈલી પર સવાલ ઊભા કરી રહ્યા છે .

આજે સવારે 7 વાગ્યાથી સીબીઆઈ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડી રહી છે. 7 થી 8 સીબીઆઈ અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ED પછી હવે CBI 17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી સાથે સંકળાયેલા સ્થળોએ શોધખોળ કરી રહી છે.

કંપનીઓ વચ્ચે નાણાંની આપ-લે સંબંધિત દસ્તાવેજોની શોધ

સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈ તપાસમાં અનિલ અંબાણીના ઘર અને બેંક લોન કેસ સંબંધિત અન્ય સ્થળોએ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ યસ બેંક અને અનિલ અંબાણીની કંપનીઓ વચ્ચે નાણાંની આપ-લે સંબંધિત દસ્તાવેજો શોધી રહી છે.

અનિલ અંબાણીના 6 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)દ્વારા ઉદ્યોગપતિની તેમના ગ્રુપ કંપનીઓ સામે કથિત રીતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના અનેક બેંક લોન છેતરપિંડીના કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કર્યાના થોડા અઠવાડિયા પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા. CBI એ અનિલ અંબાણીના 6 સ્થળોએ દરોડા પાડ્યા છે SBI એ 13 જૂન, 2025 ના રોજ આ કેસને “છેતરપિંડી” તરીકે વર્ગીકૃત કર્યો હતો

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું આવુ

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં એક લેખિત જવાબમાં આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બેંકે RBI ને છેતરપિંડીનો રિપોર્ટ મોકલ્યો છે અને CBI માં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. હવે CBI એ ઔપચારિક કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

Related Posts

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
  • June 16, 2026

Chhattisgarh School Prayer: છત્તીસગઢની શાળાઓમાં હવે પુસ્તકો કરતા પૂજાપાઠનું મહત્વ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં એક એવો આદેશ બહાર પાડ્યો છે જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ…

Continue reading
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
  • June 16, 2026

Akal Takht Bhagwant Mann: પંજાબના રાજકીય ઇતિહાસમાં આ એક એવો વળાંક છે જેણે રાજ્યના શાસન અને ધર્મ વચ્ચેની પાતળી રેખાને સંપૂર્ણપણે ભૂંસી નાખી છે. અકાલ તખ્ત દ્વારા મુખ્યમંત્રી ભગવંત માનને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 1 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 7 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 10 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 10 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?