નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ

  • Gujarat
  • March 12, 2025
  • 1 Comments
  • નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું
  • વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ પર બની ઘટના
  • ધૂમાડાના ગોટેગોટા ઉડતાં ભયનો માહોલ સર્જાયો
  • ઝેરી ધૂમાડાની 6 લોકોને અસર, ડ્રાઈવરનો બચાવ

Nadiad Accident: વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ પર નડિયાદ નજીક એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતુ. જેથી ધૂમાડો આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો. ઝેરી કેમિકલથી કેટલાંક લોકોને અસર થઈ છે. જેમને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. આ અમદાવાદથી વડોદરા જઈ રહેલું ટેન્કર રેલિંગ તોડી પલટી ગયું હતુ.

નડિયાદ નજીકથી પાસર થતાં એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં રેલિંગ તોડીં ઊંડા ખાડામાં પડ્યું હતુ. જેથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કારણ કે ટેન્કરે પલટી જતાં વિસ્તારનું વાતાવરણ ધૂધળું અને ધુમાળાવાળુ થઈ ગયું હતુ. જેથી લાંબા સમય સુધી રોડ પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઝડપથી ધૂમાડો પ્રસરી રહ્યો હતો. જેની અસર 6થી વધુ લોકોને થઈ હતી. તેઓ બેભાન થઈ જતાં જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડ, પોલીસ, હાઈવે ઈમરજન્સી પેટ્રોલિંગ સહિતની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચી હોવાથી તેને ટેન્કરમાંથી બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ધુમાડાના કારણે એક્સપ્રેસ-વે પર બે કિ.મી. સુધી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, મોડી સાંજે વાહનોની અવરજવર માટે એક્સપ્રેસ-વે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો હતો. અડધી રાત્રી બાદ પૂનઃ વાહન વ્યવહાર શરુ કરાયો હતો.

જાણવા મળી રહ્યું છે કે ટેન્કરનું સ્ટેરિંગ તૂટી જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેથી રેલિંગ તોડી ટેન્કર ખાડામાં પડ્યું હતુ. હાલ ડ્રાઈવર સારવાર હેઠળ છે.

સલુણ ગામના લોકોને અસર

આ ટેન્કરે પલટી મારી ત્યાથી સલુમ ગામ થોડા કિમીના અંતરે છે. જેથી આ ગામ સુધી ધૂમાડો પ્રસરી જતાં 6 લોકોને અસર થઈ છે. જેથી ગત રાત્રે 9:00 થી 10 ના સમયમાં છ લોકોને અસર થતાં દવાખાનામાં ખસેડાયા હતા. આ 6 લોકોને ગળામાં બળતરા અને શ્વાસની તકલીફ થઈ હતી. સલૂન પીએસસીમાં તેમજ એનડી દેસાઈ હોસ્પિટલમાં પણ અસરગ્રસ્તને સારવાર અર્થે દાખલ કરાયા હતા. નડિયાદ શહેર સુધી પણ આ ધૂમાડો પ્રસર્યો હતો.

હાલ લોકોમાં ભયનો માહોલ છે. કારણે આ ઝેરી કેમિકલની અસર હજુ પણ વર્તાઈ રહી છે. કારણ કે આ ઝેરી ધૂમાડો નડિયાદ શહેર સહિત આજુબાજુના ગામો સુધી પ્રસરી ગયો છે. જેથી કોઈને પણ અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

આ પણ વાંચોઃ વિરાટ કોહલી 1 રને આઉટ થતાં બાળકીને હાર્ટ એટેક આવ્યો? શું છે સચ્ચાઈ! |UP Heart attack

આ પણ વાંચોઃ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના હદમાંથી દારૂનો મોટો જથ્થો મળતા PI સસ્પેન્ડ

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ