Mohan Bhagwat: નામકરણની રાજનીતિમાં ખોવાયેલો દેશ, ગરીબી અને બેરોજગારીના મુદ્દાઓ ક્યાં ગયા?

  • India
  • July 28, 2025
  • 0 Comments

Mohan Bhagwat: ભાજપ અને RSS દેશ હિતના કાર્યેને બદલે લોકોને ઈન્ડિયા અને ભારત અંગે મૂંઝવણમાં મૂકી રહ્યા છે અને પોતાનો કક્કો પાસ કરી રહ્યા છે. તેઓ લોકોને બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓથી ધ્યાન ભટાકવવાનું કામ કહ્યું છે. RSSના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું કે ‘ભારત’ ફક્ત એક નામ નથી પરંતુ દેશની ઓળખ છે, જેને ન તો બદલવી જોઈએ કે ન તો તેનું ભાષાંતર કરવું જોઈએ. તેમણે કહ્યું કે આજે ભારત જે વૈશ્વિક સન્માનનો આનંદ માણે છે તે તેની ‘ભારતીયતા’ને કારણે છે અને આ ઓળખને અકબંધ રાખવી જરૂરી છે.

વધુમાં કહ્યું ‘ભારત એક યોગ્ય નામ છે, તેનો અનુવાદ ન કરવો જોઈએ. ‘ભારત એટલે ભારત’ ઠીક છે, પણ ભારત એટલે ભારત. તેથી જ્યારે આપણે લખીએ અને બોલીએ છીએ, ત્યારે આપણે ભારતને ભારત કહેવું જોઈએ. જો કે હાલ આ ચર્ચાને કોઈ સ્થાન નથી. આ ચર્ચાઓથી કોઈ ફાયદો નથી. તેમ છતાં RSS મોહન ભાગવત ચર્ચાઓ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો ધંધો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારત, ઇન્ડિયા, આર્યાવર્ત કે જંબુદ્વીપ—નામ ગમે તે રાખો, પરંતુ દેશની મૂળ સમસ્યાઓ જેવી કે ગરીબી, બેરોજગારી, અને સામાજિક-આર્થિક અસમાનતા હજુ પણ ઉકેલની રાહ જોઈ રહી છે. દેશમાં ચાલતી નામકરણની રાજનીતિ અને ધાર્મિક ઉન્માદના નામે ચાલતા વિવાદો વચ્ચે લોકોના આવશ્યક મુદ્દાઓ ગૌણ બની રહ્યા છે. આજે પણ લાખો લોકો રોટી, રોજગાર, અને સામાજિક ન્યાયની રાહ જોવે છે, પરંતુ રાજકીય નેતૃત્વનું ધ્યાન માત્ર વિભાજનકારી એજન્ડા પર જ રહે છે.

ગરીબી અને બેરોજગારી: આંકડાઓ શું કહે છે?

તાજેતરના સરકારી આંકડાઓ (PLFS 2023-24) અનુસાર ભારતમાં બેરોજગારીનો દર લગભગ 3.2% છે, પરંતુ આ આંકડા ગામડાઓ અને અસંગઠિત ક્ષેત્રોની વાસ્તવિકતાને પૂરેપૂરું નથી દર્શાવતા. ખાસ કરીને યુવાઓમાં બેરોજગારી અને અધૂરા રોજગારની સમસ્યા ગંભીર છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં પણ નાના-મધ્યમ ઉદ્યોગોમાં મંદી અને ઓછા વેતનની સમસ્યાએ યુવાનોને નિરાશ કર્યા છે. ગરીબીની વાત કરીએ તો, ઓક્સફેમના 2024ના અહેવાલ મુજબ, દેશની 1% સૌથી ધનિક વસ્તી પાસે 40%થી વધુ સંપત્તિ છે, જે સામાજિક અસમાનતાને વધુ ઊંડી કરે છે.

જાતિવાદ અને શોષણ: હજુ પણ કરતી સમસ્યાઓ

ભારતના સંવિધાને સમાનતાનું સપનું બતાવ્યું હતું, પરંતુ જાતિ આધારિત ભેદભાવ અને શોષણ આજે પણ દેશના સામાજિક ઢાંચાને ખોખલો કરી રહ્યા છે. બ્રાહ્મણવાદી વ્યવસ્થા અને જાતિગત દમનના કારણે લાખો લોકોને આર્થિક અને સામાજિક ન્યાય મળવો દૂરનું સપનું બની રહ્યું છે. ગુજરાતમાં પણ, ખાસ કરીને દલિત અને આદિવાસી સમુદાયો હજુ પણ ભેદભાવનો સામનો કરે છે. આ મુદ્દાઓ પર ચર્ચા થાય છે, પરંતુ નક્કર પગલાં લેવામાં નિષ્ફળતા જોવા મળે છે.

નામકરણનો ખેલ: ધ્યાન ભટકાવવાની રણનીતિ?

‘ભારત’ કે ‘ઇન્ડિયા’ના નામે ચાલતી રાજનીતિ ઘણીવાર લોકોનું ધ્યાન મૂળ સમસ્યાઓથી હટાવી દે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્દાઓને ઉછાળીને રાજકીય લાભ લેવાનો ઇતિહાસ નવો નથી. આવા વિવાદોમાં ઉર્જા ખર્ચવાને બદલે, જો સરકાર અને નેતાઓ રોજગાર સર્જન, શિક્ષણ, અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર ધ્યાન આપે તો દેશની પ્રગતિની દિશા બદલાઈ શકે. ગુજરાતના સંદર્ભમાં, જ્યાં ઔદ્યોગિક વિકાસની મોટી વાતો થાય છે, ત્યાં પણ નાના શહેરો અને ગામડાઓમાં રોજગારની તકો હજુ પણ અપૂરતી છે.

નેતાઓના આવા નિવેદનોથી બચવા શું કરવું?

નાગરિકો તરીકે આપણે પણ જાગૃત રહેવું પડશે. રાજકીય નેતાઓ પાસે ગરીબી ઘટાડવા, રોજગાર વધારવા, અને સામાજિક ન્યાયની ખાતરી કરવા માટે નક્કર યોજનાઓની માગણી કરવી જોઈએ. ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર વધુ રોકાણ, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન, અને જાતિ-આધારિત ભેદભાવ નાબૂદ કરવા માટે કડક કાયદાઓની જરૂર છે. આખરે, નામ બદલવાથી કે ધાર્મિક ઉન્માદ ફેલાવવાથી લોકોના પેટ નહીં ભરાય. જરૂરી છે એક એવી રાજનીતિ કે જે લોકોની મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપે. શું આપણે આ માટે એકજૂટ થઈ શકીએ?

 

આ પણ વાંચો:

મોહન ભાગવત પર સંતોનો રોષ: નફરતના બીજના પરિણામે સંઘના નેતૃત્વ પર અસર

અરવિંદ કેજરીવાલે RSS ચીફ મોહન ભાગવતને લખ્યો પત્ર; ભાજપ વિશે પૂછ્યા પ્રશ્નો

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

Modi UK visit: અનુવાદકે અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરવામાં ખાધા ગોથા, તો મોદી કેમ હસ્યા?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ બાખડી પડ્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, મારામારી સુધી મામલો પહોંચી જતાં પછી શું થયું?

Ahmedabad: ચાચા નહેરુ બાલવાટિકાનું નામ ભાજપે હટાવ્યું, સત્તાના નશામાં નિમ્ન સ્તરની રાજનીતિ, જાણો

Sabarkantha: ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ, મોટી દુર્ઘટનાને આમંત્રણ

Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

Related Posts

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…
  • October 27, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં આવેલા લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોએ 14 વર્ષની એક છોકરીનું સ્કૂટી પર બળજબરીથી અપહરણ કર્યું હતુ. જ્યારે તેણે સામનો તો છરી બતાવી મારી…

Continue reading
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ
  • October 27, 2025

UP:  દારૂડિયા ગમે ત્યાં હોય પણ જ્યાં હોય ત્યાંથી દારૂ મેળવી લેતા હોય છે પછી ભલેને સિચ્યુએશન ગમેતે હોય,પણ દારૂનો જુગાડ કરીજ નાખતા હોય છે કઈક આવોજ એક વિડીયો સોશ્યલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?