Narendra Modi:ભાજપ સરકારની એક ખાસિયત છે તેઓ જાહેરાત જોરદાર કરે છે અને જ્યારે વાજતે ગાજતે તેનું મોદી સાહેબ ઉદઘાટન કરી નાખે મોટા ભાષણો થાય અને છાપાઓ અને ટીવી ચેનલમાં ફોટા વિડીયો સાથે સમાચારો આવી જાય પણ થોડાજ સમયમાં જેની જાહેરાત થઈ હોય તે કાંતો બંધ થઈ જાય અથવા બંધ થવાની તૈયારીમાં હોય ત્યારે બહુ ચાલતી નથી આવુજ કઈક દેશમાં પ્રથમ વાર ગુજરાતના અમદાવાદથી કેવડિયા વચ્ચે નવેમ્બર-2020માં સી-પ્લેન સેવાની જોરશોરથી શરૂઆત કરવામાં આવી.જેમાં રૂ. 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રોમ બનાવવામાં આવ્યા હતા.
આગળ જણાવ્યું તેમ તા. 31 ઓક્ટોબર-2020ના દિવસે વડાપ્રધાન મોદી સાહેબે આ સી પ્લેનમાં સફર કરીને મીડિયામાં છવાયા મોટા ભાષણો થયા અને સી પ્લેન પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકયુ પણ તે માંડ 20થી 25 જેટલી ઉડાનો ભરી શકયુ અને ખોટકાઈ ગયું અને સી-પ્લેન મેઇન્ટનન્સ માટે માલદિવ્સ મોકવામાં આવ્યું ત્યારબાદ આ સિલસિલો સતત ચાલુ રહ્યો સી-પ્લેનના મેઇન્ટનન્સની સુવિધા અમદાવાદમાં શરૂ કરવાના તંત્રએ દાવાઓ કર્યાં, પણ સુવિધા ઉભી ન કરતા દર એક-દોઢ મહિને મેઇન્ટેનન્સ માટે માલદિવ્સના ધક્કા શરૂ થયા અને 50 વર્ષ જૂના આ સી પ્લેનની આખરે ઉડાન બંધ થઈ ગઈ અને હવે સૌ ભૂલી ગયા પણ કરોડોનો ખર્ચ જરૂર થયો તે જનતાના નાણાંના વેડફાટ સિવાય કંઈ ન હતું.સીપ્લેન પ્રોજેકટ બંધ થયા બાદ બીજી જેની જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી તે સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી રિવર ક્રૂઝ સેવા પણ બંધ થઈ.આમ,બે પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું આંધણ થયું છે ત્યારે હવે ભુપેન્દ્ર સરકારે પણ આવું બધું શરૂ કર્યું છે તેની સામે લોકો સવાલો ઉઠાવી રહયા છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









