
Narendramodi: દેશભરમાં ગત તા.6 એપ્રિલના રોજ ભાજપે સ્થાપના દિવસ ઉજવ્યો તા.1980ના રોજ સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) દર વર્ષે 6 એપ્રિલે સ્થાપના દિવસ ઉજવે છે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં જનસંઘમાંથી અલગ થઈને બનેલી આ પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે.
ભાજપ આ દિવસે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડે છે ત્યારે આટલા વર્ષોમાં ભાજપે દેશને શુ આપ્યું જનતાને શુ ફાયદો થયો અથવા ભાજપને કેટલો ફાયદો થયો? આ મુદ્રા ઉપર The Gujarat Reportના તંત્રી-માલિક અને વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકીય વિશ્લેષક ડૉ. જયનારાયણ વ્યાસ સાથે વિસ્તુત ચર્ચા કરી હતી જેમાં
તેઓએ સરકારના કાર્યકાળ દરમિયાન દેશના ફાયદા અને નુકસાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
મહત્વનું છે કે ડૉ. જયનારાયણ વ્યાસ 32 વર્ષ સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા બાદ તેઓએ 2022 માં ભાજપ છોડી દીધું હતું ડો.જયનારાયણ વ્યાસ માનવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકશાહી મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓને નુકસાન થયું છે. તેમના મતે, મહત્વપૂર્ણ સંસ્થાઓ માટેની પસંદગી પ્રક્રિયાએ આ સંસ્થાઓની સ્વાયત્તતાને અસર કરી છે.
સેંકડો સરકારી યોજનાઓ છતાં, દેશનો મધ્યમ વર્ગ હજુ પણ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
વ્યાસે વડા પ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળ માટે કહ્યું કે ગઠબંધન સરકાર પર તેમની નિર્ભરતાને કારણે, તેઓ પહેલા કરતા ઓછા આત્મવિશ્વાસુ અને નબળા દેખાય રહયા છે ડો.જયનારાયણ વ્યાસે ભાજપના શરૂઆતથી લઈ અત્યાર સુધીના કાર્યકાળ ઉપર વિસ્તુત છણાવટ કરી હતી જે જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!










