
Adani: નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેઓનું એક સૂત્ર ખૂબજ ફેમસ થયું હતુ “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!” આ સૂત્ર સાથે તેઓએ કહ્યું હતું કે ‘હું ચોકીદાર છું!’ તેઓએ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાનું બીડું ઝડપ્યું હતું પણ એ શક્ય ન બની શક્યું અને નરેન્દ્રભાઈ મોદીના ખાસ મનાતા ઉદ્યોગપતિ અદાણીએ મોટા પાયે ગફલા કર્યા હોવાછતાં કોઈ કાર્યવાહી થતી નથી અને હવેતો દેશના સીમાડા વટી છેક અમેરિકામાં તેમના નામની ચર્ચા છે.
મહત્વનું છે કે ગૌતમ અદાણી અને અન્ય સાત વરિષ્ઠ અધિકારીઓ પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ કેસની વાત કરવામાં આવે તો ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ પર ભારતમાં સોલર પાવર પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $250 મિલિયન (લગભગ ₹2,100 કરોડ) ની લાંચ આપવાનો અથવા આપવાની ઓફર કરવાનો આરોપ લાગેલો છે, સાથેજ અમેરિકન પ્રોસિક્યુટર્સ જે રીતે દાવો કરી રહ્યા છે તે મુજબ અદાણીએ આ ગ્રીન એનર્જીની આ લાંચની વિગતો છુપાવીને અમેરિકન રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી $3 બિલિયન થી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું
આરોપ એવો પણ લાગ્યો છે કે તપાસ દરમિયાન પુરાવાનો નાશ કરીને ખોટી માહિતી આપીને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
ન્યૂયોર્કની કોર્ટે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડના વોરંટ જારી કર્યા છે આવા સમયે આ મામલો દેશ સહિત વિદેશમાં પણ ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે The Gujarat Reportના MD મયુર જાનીએ જાણીતા ધારાશાસ્ત્રી અશોક અરોરા સાથે વાત કરી કાયદાકીય રીતે આ પ્રકરણમાં તેઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં અરોરા સાહેબે ખૂબજ સચોટ વિસ્તુત રીતે વિશ્લેષણ કર્યું હતું જે અત્રે પ્રસ્તુત કરીએ છીએ,વિડીયો જોવાનું ચૂકશો નહિ
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









