
Narendramodi: મોદી સાહેબ 140 કરોડ જનતા વતી જે વાતો કરે છે તેમાં બધાજ સહમત છે તેવું માની શકાય ખરું? જુઓ ખાસ વિશ્લેષણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મનકી બાત’ હોયકે બીજુ કોઈ સ્ટેટમેન્ટ હોય તેમાં તેઓ 140 કરોડની ‘જનતા વતી’ અથવા ‘જનતાનો આભાર’ આવું બોલતા અવારનવાર સાંભળ્યા હશે પણ હવે આ મુદ્દા ઉપર લોકોમાં કોમેન્ટ ઉઠી રહી છે કે મોદી સાહેબ આ બધું એક તરફી કેવી રીતે નક્કી કરી શકે?
કારણ કે જેઓ મોદી સાહેબના વિચારો કે પછી તેઓની વાત સાથે સહમત નથી તો તેવા નાગરિકો વતી કેવી રીતે બોલી શકે? મારી સરકાર પણ રિમોટથી ચાલે છે, 140 કરોડ દેશવાસીઓ મારું રિમોટ છે. 140 કરોડ દેશવાસીઓના સપના, 140 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ, દેશના નવયુવાનોના સંકલ્પ, આના માટે અમે જીવીએ છીએ, આના માટે સરકાર ચલાવીએ છીએ. સત્તા અમારા માટે સુખનો રસ્તો નથી, સત્તા અમારા માટે સેવાનું માધ્યમ છે.
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના ઉપર મુજબના શબ્દો પણ તાજેતરના છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા






