
Narendramodi: દેશમાં હાલમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે ચિંતા વ્યક્ત કરતું ચેપ્ટર સામેલ કરવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગેનું સંજ્ઞાન લઇ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન આ પગલા પર સખત નારાજગી વ્યક્ત કરી.
સીજેઆઈએ કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, ન્યાયપાલિકાને બદનામ નહીં થવા દઉં,બીજી તરફ જસ્ટિસ જસ્ટિસ બાગચીએ આને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવ્યું.આ અગાઉ બુધવારે ન્યાયપાલિકા પર આધારિત પાઠ્યપુસ્તકના ચેપ્ટર પર સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની પીઠને કહ્યું હતું કે, ધોરણ 8ના વિધાર્થીઓને ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અંગે ભણાવવામાં આવશે તો બાળકો ઉપર તેની શુ અસર થશે જેને ચિંતાનો વિષય ગણાવ્યો છે ત્યારે આ મુદ્દે પૂર્વ Finance Minister યશવંત સિંહાએ પોતાનું મંતવ્ય રજૂ કરી વિસ્તુત છણાવટ કરી હતી જે અત્રે પ્રસ્તુત છે.






