
NCP: અજિત પવારના અકાળ અવસાન પહેલાં તેઓએ શરદ પવારની પાર્ટી અને પોતાની NCP પાર્ટીને એક કરવા એટલે કે વિલીનીકરણ કરવા માટે એક કરાર કર્યો હોવાની વાત સામે આવી છે,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારના અવસાન પહેલાં, કાકા-ભત્રીજાની જોડી એક થશે અને NCP એક રહેશે તે નક્કી કરવામાં આવ્યું હતું,સૂત્રોના જણાવ્યા અનુસાર, વિલયની જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી.
સૂત્રો કહે છે કે બારામતી વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પહેલા જ અજિત પવાર અને શરદ પવાર વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન, NCPના બંને જૂથોના એકીકરણ પર સંમતિ સધાઈ હતી. ત્યારબાદ, બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આગામી પગલાં અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાઈ હતી.
● શું NCPના વિલીનીકરણની જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી?
સૂત્રોનો દાવો છે કે અજિત પવાર અને શરદ પવારે જિલ્લા પરિષદની ચૂંટણી પછી તરત જ વિલીનીકરણની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હતો અને તા. 8 ફેબ્રુઆરીએ આ જાહેરાત થવાની હતી, પરંતુ તે પહેલાં જ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું.
આમ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકાળ અવસાનથી રાજકીય વર્તુળોમાં શોક છવાઈ ગયો છે. દરમિયાન ,આ પ્રકારની વાતો મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








