Narendra Modi: ટ્રમ્પે PM મોદી ઉપર તંત્ર-મંત્ર અને મેલી વિદ્યાનો પ્રયોગ કરતા મોદી ભ્રમિત થઈ ગયા છે : પરમહંસ આચાર્ય

  • India
  • January 31, 2026
  • 0 Comments

Narendra Modi: દુનિયામાં ભારતના PM નરેન્દ્ર મોદીનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે મોદી આગળ નીકળી જશે તેથી ‘ટ્રમ્પે મોદી ઉપર મેલી વિદ્યા કરાવીને તંત્ર મંત્ર દ્વારા વશીકરણ કરાવતા મોદી ભ્રમિત થઈ ગયા છે અને તેઓ એવા નિર્ણય લઈ રહયા છે કે તેઓની ટીકા થાય અને લોકપ્રિયતા ઘટી જાય’ આ મુજબ અયોધ્યાના પરમહંસ આચાર્યનું કહેવું છે.

આચાર્યએ મજબૂત દાવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી પર તંત્ર મંત્ર કરી વશીકરણ કર્યું જેને લઈ યુજીસી જેવા વિવાદિત નિયમો સરકાર લાવી હતી પણ હવે અમને ખબર પડી જતા અમે વૈદિક મંત્રોથી મોદીને વશીકરણથી મૂક્ત કરી દીધા છે જેથી હવે તેઓ ટ્રમ્પના પ્રભાવમાંથી મુક્ત થઈ ગયા છે.

મહત્વનું છે કે યુજીસીના નવા નિયમોનો વિરોધ કરનારા પરમહંસ આચાર્યએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે યુજીસી આવા નિયમો લઇને શુ કામ આવ્યું? આવું કેમ થઇ ગયું તે અંગે અમે અમારી રીતે તપાસ કરી અને જોયું તો ખબર પડી કે શું હકીકત છે? આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે મોદીના વધી રહેલા પ્રભાવને કારણે તેમના પર તંત્ર મંત્ર કરાવીને વશીકરણ કરવામાં આવ્યું છે, જે બાદ મે ધ્યાન કર્યું તો જાણવા મળ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે તંત્ર મંત્ર કરાવી પીએમ મોદીનું વશીકરણ કરાવ્યું હતું.

નરેન્દ્ર મોદીને મેલી વિદ્યાના પ્રભાવમાંથી મુક્ત કરવા અમે વૈદિક મંત્રોનું પઠન સહિતની ક્રિયાઓ કરી ટ્રમ્પની કરેલી વિધિ હઠાવી દીધી છે અને હવે બધુ ઠીક કરી દીધુ, હવે મોદીજી પર કોઇ પણ પ્રકારના તંત્ર મંત્ર કે વશીકરણની અસર નહીં થાય. નરેન્દ્ર મોદીની દેશને જરૂર છે અને દેશનો વિકાસ અટકી ન જાય તે માટે મોદી આગળ વધતા રહે તે જરૂરી છે કેમકે નરેન્દ્ર મોદી પાસે દેશને ઘણી અપેક્ષાઓ છે.
તે વાત ધ્યાને લઇ અયોધ્યાથી મોદીની કુશળતા માટે પૂજા પાઠ કરતા રહીશું.

અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ પણ પરમહંસ આચાર્યએ કહ્યું હતું કે યુજીસીના નવા નિયમો પરત લેવામાં આવે નહીં તો મને ઇચ્છા મૃત્યુની છૂટ આપવામાં આવે.

જોકે,દેશભરમાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને નામદાર કોર્ટે તેના ઉપર સ્ટે મૂકી દીધો હતો. જ્યારે બીજી તરફ ટ્રમ્પ દ્વારા મોદી ઉપર કરવામાં આવેલી મેલી વિદ્યા પરમહંસ આચાર્યએ દૂર કરતા હવે મોદી ટ્રમ્પના પ્રભાવથી મુક્ત થઈ ગયા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર
  • May 13, 2026

Udhayanidhi Stalin Sanatan Dharma: તમિલનાડુના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે ભાજપના…

Continue reading
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર
  • May 13, 2026

Congress Attacks BJP RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને એક અત્યંત સૂચક નિવેદન આપ્યું છે, જેણે દેશના રાજકારણમાં ચર્ચા જગાવી છે. ‘પીટીઆઈ-વીડિયો’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 2 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 7 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 12 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 12 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ