
NEET Paper Leak: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 માં કથિત અનિયમિતતાઓ અને પેપર લીકના સમાચારોએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા દાવો કર્યો છે કે ‘નીટ’ હવે યોગ્યતાની પરીક્ષા મટીને ભ્રષ્ટાચારની હરાજી બની ચૂકી છે. તેમણે સોશિયલ મીડિયા પર વ્યથા ઠાલવતા કહ્યું કે, ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ વર્ષભર રાત-રાત જાગીને મહેનત કરે છે, પરંતુ તેમનું ભવિષ્ય બજારમાં સરેઆમ વેચાઈ રહ્યું છે. રાહુલ ગાંધીના મતે છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ વાર પેપર લીક થવાની ઘટનાઓ તંત્રની ગંભીર નિષ્ફળતા અને યુવાનોના સપનાઓ સાથેની ક્રૂર મજાક સમાન છે.
NEET 2026 के पेपर लीक की खबर सुनी।
परीक्षा नहीं – NEET अब नीलामी है।
कई सवाल परीक्षा से 42 घंटे पहले WhatsApp पर बिक रहे थे।
22 लाख से ज़्यादा बच्चे साल भर रात-रात भर आँखें जलाकर पढ़ते रहे और एक रात में उनका भविष्य बाज़ार में सरेआम नीलाम हो गया। यह पहली बार नहीं है। 10 साल में…
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026
ભ્રષ્ટાચારની ભેટ ચઢતું યુવાનોનું ભવિષ્ય: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં પરીક્ષાઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર યુવાનોનું ભવિષ્ય છીનવી રહ્યો છે. ૨૩ લાખ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા જે રીતે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને મેડિકલના અભ્યાસ માટે તૈયારી કરે છે, તેમની મહેનત પર પેપર લીક ગેંગ પાણી ફેરવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે સંસદમાં પેપર લીક વિરુદ્ધ કડક કાયદો લાવવાનો શું અર્થ જો જમીની સ્તરે આજે પણ એ જ અરાજકતા અને ગેરરીતિઓ ચાલુ હોય? શાસકોએ સમજવું પડશે કે આ માત્ર એક પરીક્ષા નથી, પણ લાખો પરિવારોની આશાનો મામલો છે.
एक बार फिर से NEET UG की परीक्षा में बड़े पैमाने पर गड़बड़ी को लेकर खबरें छप रही हैं। भाजपा राज में पिछले कई साल से परीक्षाओं में व्याप्त भ्रष्टाचार देश के युवाओं से उनका भविष्य छीन रहा है। इस बार भी तकरीबन 23 लाख छात्रों के भविष्य के साथ खिलवाड़ किया गया।
NEET जैसी परीक्षाओं…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 11, 2026
પરીક્ષા પ્રણાલીમાં અવિશ્વાસ અને અરાજકતાનું પ્રતીક: મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ NEET પરીક્ષામાં થતી વારંવારની ગરબડને લઈને સરકારની નીતિ અને દાનત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ચોંકાવનારો આક્ષેપ કર્યો કે રાજસ્થાનના સીકરમાં પરીક્ષાના કલાકો પહેલા જ હાથે લખાયેલા ‘ગેસ પેપર’ વેચાઈ રહ્યા હતા, જેમાંથી ૧૩૫ પ્રશ્નો અસલી પેપર સાથે સીધા મેચ થયા છે. ખડગેના મતે, ૨૦૧૬ થી ૨૦૨૬ સુધીમાં નીટના ઓછામાં ઓછા ચાર પેપર લીક થઈ ચૂક્યા છે. જ્યારે કરોડો યુવાનોના ભવિષ્ય સાથે આવી રમત રમવી એ આદત બની જતી હોય, ત્યારે દેશની પરીક્ષા પ્રણાલી પરથી જનતાનો વિશ્વાસ ઉઠી જવો સ્વાભાવિક છે.
मोदी सरकार में परीक्षा प्रणाली पूरी तरह अव्यवस्था, अविश्वास और अराजकता का प्रतीक बन चुकी है।
NEET के अब तक कम से कम 4 पेपर लीक हो चुके है – 2026, 2024, 2021, 2016!
राजस्थान के सीकर में परीक्षा से पहले handwritten “guess paper” मिलता है, जिसमें से 135 प्रश्न सीधे NEET के असली…
— Mallikarjun Kharge (@kharge) May 11, 2026
વિદ્યાર્થીઓનું મનોબળ તોડતી પેપર લીક ગેંગ: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ આ વિવાદમાં ઝંપલાવતા કહ્યું કે, વારંવાર થતી પેપર લીકની ઘટનાઓ વિદ્યાર્થીઓના મનોબળ અને આત્મવિશ્વાસને તોડી રહી છે. દર વર્ષે દેશના અંદાજે સાત કરોડ યુવાનો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે, પરંતુ પેપર લીક માફિયાઓ તેમના અધિકારો પર તરાપ મારી રહ્યા છે. કેજરીવાલે આ કેસમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતોની રક્ષા કરવી એ સરકારની નૈતિક જવાબદારી છે. જ્યારે દેશનો યુવાન હતાશ થાય છે, ત્યારે રાષ્ટ્રની પ્રગતિ રુંધાય છે.
हर साल 7 करोड़ युवा इंजीनियरिंग, मेडिकल कॉलेजों में दाखिले और सरकारी नौकरियों के लिए परीक्षाएँ देते हैं। लेकिन राजनीतिक संरक्षण में चल रहे पेपर लीक गिरोह इन युवाओं का भरोसा और हौसला तोड़ रहे हैं।
पेपर लीक में शामिल माफ़िया और उन्हें संरक्षण देने वाले नेता देश के दुश्मन हैं। ये… https://t.co/BANuEHdHT7
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 11, 2026
તપાસનો ધમધમાટ અને NTA નો બચાવ: શું છે વાસ્તવિકતા?
૩ મે ના રોજ આયોજિત થયેલી NEET-UG 2026 પરીક્ષા બાદ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. એક ડઝનથી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી આ મામલે સત્તાવાર એફઆઈઆર નોંધવામાં આવી નથી. બીજી તરફ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ દાવો કર્યો છે કે પરીક્ષા પૂરા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવામાં આવી હતી. એજન્સીનું કહેવું છે કે તેઓ તપાસ એજન્સીઓને પૂરો સહયોગ આપી રહ્યા છે.
પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવાની અનિવાર્યતા
પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ માત્ર રાજકીય નિવેદનબાજીનો વિષય નથી, પણ એક ગંભીર સામાજિક બીમારી છે. જ્યારે મેડિકલ જેવા પવિત્ર વ્યવસાય માટેની પ્રવેશ પરીક્ષામાં જ ભ્રષ્ટાચાર ઘૂસી જાય, ત્યારે ભવિષ્યના ડોક્ટરોની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થાય છે. સરકારની જવાબદારી માત્ર કાયદો બનાવવાની નથી, પણ તેનું ચુસ્ત પાલન કરાવીને પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવાની છે. વિદ્યાર્થીઓને ન્યાય ત્યારે જ મળશે જ્યારે આ કૌભાંડના મૂળ સુધી પહોંચીને દોષિતોને આકરી સજા કરવામાં આવશે.
આ પણ વાંચો:








