
Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટૅક્સ ફ્રી કર્યા બાદ આ વખતે બજેટમાં ટૅક્સ માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમ છતાં આ વખતે બજેટમાં કેટલીક એવી દરખાસ્તો પણ છે જેના કારણે અમુક ચીજો સસ્તી થશે જ્યારે કેટલીક ચીજોના ભાવમાં વધારો થવાનો છે.
બજેટથી પગારદાર મધ્યમ વર્ગ અને યુવાનો સૌથી વધુ નિરાશ થયા છે. આવકવેરાના સ્લેબમાં ફેરફારનો અભાવ અને ફુગાવાના દબાણ છતાં કર રાહતનો અભાવ મધ્યમ વર્ગ માટે મોટા ફટકા સમાન છે.બીજી તરફ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં નોંધપાત્ર રોકાણો, આયુર્વેદિક એઈમ્સ અને મેડિકલ હબ જેવી જાહેરાતો ભવિષ્યના અર્થતંત્ર માટે સકારાત્મક ગણી શકાય.
વધુમાં, કેન્સર અને દુર્લભ રોગોની દવાઓને ડ્યુટી-ફ્રી બનાવવા અને સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવવાથી સામાન્ય માણસને વ્યવહારિક રાહત મળે છે,જોકે તેની અસર ખૂબજ મર્યાદિત છે. બજેટથી પગારદાર મધ્યમ વર્ગ અને યુવાનો બજેટથી સૌથી વધુ નિરાશ થયા છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફારનો અભાવ અને ફુગાવાના દબાણ છતાં કર રાહતનો અભાવ મધ્યમ વર્ગ માટે એક મોટો આંચકો છે સાથેજ મોટા પાયે રોજગાર ઉભા કરતી નવી યોજનાઓ અથવા જોબ ઈન્સેન્ટીવનો અભાવ સ્પષ્ટપણે દેખાય આવે છે.
● માળખાગત વિકાસ ધીમો પડવાનું જોખમ
શહેરી વિકાસ, મેટ્રો અને ઇન્ટર્નશિપ જેવી યોજનાઓમાં કાપથી શહેરોમાં રોજગાર અને માળખાગત વિકાસ ધીમો પડી જવાનો ભય ઉભો થયો છે.વધુમાં, F&O પર STTમાં વધારાથી છૂટક રોકાણકારો નારાજ થયા, જેના પરિણામે બજેટ પછી તરત જ શેરબજારમાં ઘટાડો થયો.એકંદરે, આ બજેટ “આવતીકાલની અર્થવ્યવસ્થા” ને મજબૂત બનાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે, પરંતુ તે “આજની નોકરીઓ, આજની આવક અને આજના ફુગાવા” સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને અપેક્ષિત રાહત આપવામાં નિષ્ફળ જણાય છે.સરકારે વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ તે વૃદ્ધિના લાભો સામાન્ય માણસ સુધી કેટલી ઝડપથી પહોંચશે તે આ બજેટ માટેનો સૌથી મોટો પ્રશ્ન છે.આમ,યુવાનો માટે બજેટ નિરાશા જનક રહ્યું હોવાનો મત પ્રવતી રહ્યો છે.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







