
Politics News: રાજ્યમાં ભાજપના પીઢ રાજકારણી નીતિન પટેલ છેલ્લા કેટલાક વખતથી જાહેરમાં ચાબખા મારી રહયા છે જેની બધા મજા પણ લઈ રહયા છે અગાઉ ધર્માંતરણ મુદે તેઓએ નિવેદન આપતા તે ચર્ચાસ્પદ રહ્યા બાદ હવે ફરી તેઓએ પક્ષના નેતાઓ મુદ્દે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે જેનાથી રાજકારણ ગરમાયુ છે.
ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીના જાહેર મંચ પરથી આપેલા એક નિવેદનને પગલે ભાજપની આંતરિક રાજનીતિ ફરી ચર્ચાસ્પદ બની છે.મહેસાણાના કડી સ્થિત ચંપાબા ટાઉનહોલમાં APMC દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, ઘણા એવા છે જે ગોરખધંધા પણ કરે છે અને ભાજપનો પટ્ટો લગાવીને ફરે છે. તેઓએ કહ્યું કે “ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ન બની જવાય”
નીતિન પટેલે કહ્યું કે, ‘ગોરખધંધા પણ કરવા છે અને ગાડી પર ભાજપનો પટ્ટો પણ લગાડવો છે પણ તે ન ચાલે.કોઈએ સંઘર્ષ જોયો નથી અને છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે, બધાને સત્તા અને હોદ્દા જોઈએ છે પણ હોદ્દો મળી જવાથી આખો પક્ષ ચાલશે તેવું માનવું ન જોઈએ.
બીજું સહકાર આપવાની ભાવના હવે રહી નથી અને કઈ ન કરો તો કઈ નહિ પણ એકબીજાને નડવાનું બંધ કરો તોય ઘણું છે.
ભ્રષ્ટ મંત્રીઓ માટે ખેડૂતો માટે તેઓએ કહ્યું કે, ‘રાજ્યમાં કેટલાક જિલ્લામાંતો ખેડૂતોની જાણ બહાર તેમની જમીન પણ વેચાઈ જાય છે,બેંકમાંથી ખોટા નામે લોન લઈને મંત્રીઓ વાપરી નાંખે છે આવા ખોટું કરનારા બેથીત્રણ મંત્રીઓ જેલમાં હોવાની વાત તેઓએ કહી હતી.
આજકાલ તો ગોરખધંધા કરનારા પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને ફરે છે અને સાચુ શું છે તેની બધાને ખબર જ હોય છે. હવે લોકો છેતરાતા નથી.નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ભાજપના સમય અને કાર્યકરોના સંઘર્ષ કેવો હતો તે કોઈને પૂછજો તે વાતો યાદ કરી નવા કાર્યકરોને શીખ આપતા ઉમેર્યુ કે, ધીમે ધીમે આગળ વધાય, સહકારી ક્ષેત્ર એ તબક્કાવાર આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મહત્વનું છે કે રાજ્યમાં ભાજપના નવા સંગઠનની જાહેરાત હજુ બાકી છે ત્યારે તે અગાઉ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચર્ચા ઉઠી છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?





