Imran Khan Killed in Jail: શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

  • World
  • November 26, 2025
  • 0 Comments

Imran Khan Killed in Jail:પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની જેલમાં હત્યા કરાવી નાખવામાં આવી હોવાના બલુચિસ્તાન વિદેશ મંત્રાલયે કરેલા દાવાથી ખળભળાટ મચી ગયો છે.

બલુચિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હત્યા થઈ હોવાનો મોટો દાવો કર્યો છે.

બલુચિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.

જોકે,હત્યા મામલે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી બીજી તરફ ઇમરાન ખાનની બહેનો અને તેના પરિવારજનોને જેલમાં ઈમરાન ખાનને મળવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેના કારણે હત્યાની આશંકા વધુ પ્રબળ બની છે.

પાકિસ્તાનની અદિયાલાજેલની અંદર ઇમરાન ખાનની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન લાંબા સમયથી જેલમાં કેદ હતા.પોસ્ટમાં મીડિયા આઉટલેટનો હવાલો આપીને લખ્યુ છે કે, તેમની હત્યા ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ કરવમાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સાથેજ અફઘાનિસ્તાન ટાઇમ્સે પણ પાકિસ્તાનના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, PTI ચેરમેન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી છે અને મૃતદેહને પણ જેલમાંથી હટાવી દેવામાં આવ્યો છે.આ વાતથી ઇમરાન ખાનનો પરિવાર પણ પરેશાન છે,અને જેલ બહાર પ્રદર્શનો કરી રહયો છે.ઈમરાન ખાનની ત્રણેય બહેનો 21 દિવસથી અદિયાલા જેલ બહાર ઇમરાનને મળવા માટે બેચેન છે. પરંતુ તેમને જેલમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે.

ઇમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઇન્સ્પેક્ટર જનરલને ફરિયાદ કરી છે. આ પછી ઇમરાન ખાનના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા હતા. દરમિયાન તેમની બહેનો પણ અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.

મહત્વનું છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમના પર તેમની પત્ની બુશરા બીબી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ છે.

ઈમરાન ખાન પર ટ્રસ્ટના નામે રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ મલિક રિયાઝ હુસૈન પાસેથી 60 એકર જમીન દાન તરીકે સ્વીકારવાનો આરોપ હતો, જેના પરિણામે રાજ્યને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

જાન્યુઆરી 2025માં કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી હતી, જ્યારે તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા ફટકારી હતી.ઈમરાન ખાનની હત્યા થઈ હોવાની વાતો વચ્ચે કોર્ટની પરવાનગી હોવા છતાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને તેની ત્રણ બહેનો અને વકીલોને મળવા નથી દેતા.

તેમની બહેનો તેમને છેલ્લે મળી હતી તેના ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. બહેનોનો આરોપ છે કે ઈમરાન ખાનનું ઠેકાણું અને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ ઓફિશિયલ જાણકારી નથી. ઈમરાનની બહેન નૌરીને અદિયાલા જેલની બહાર પ્રદર્શનકારીઓ પર ‘ક્રૂર હુમલા’ અંગે પંજાબ પ્રાંતના IGને ઔપચારિક ફરિયાદ આપી છે.આમ,ઈમરાન ખાનની હત્યા થયાના દાવા થઈ રહયા છે.

પીટીઆઈના સમર્થકોનું કહેવું છે કે, જો ઈમરાન ખાન સ્વસ્થ છે તો તેમની બહેનોને કેમ તેમની સાથે મળવા નથી દેતા. જ્યારે ઈમરાન ખાન સાથે મુલાકાતનો આદેશ કોર્ટે આપ્યો છે. એક અહેવાલ પ્રમાણે કોર્ટમાંથી નીકળતી વખતે ઈમરાન ખાનની બહેન અલીમા ખાનને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

બીજી તરફ આજે 26 નવેમ્બર 2025ના રોજ સમગ્ર પાકિસ્તાનમાં પીટીઆઈના કાર્યકરોએ ‘બ્લેક ડે’ મનાવ્યો હતો. આ દિવસ 26 નવેમ્બર, 2024ના રોજ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોની પ્રથમ વર્ષગાંઠ તરીકે મનાવ્યો છે.

આ દિવસે ઈમરાન ખાનની મુક્તિ અને રાજકીય ન્યાયની માગમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા.
PTIએ દેશભરમાં જિલ્લા સ્તરીય પ્રદર્શનો, રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું.

દરમિયાન, ઈમરાન ખાનનું જેલમાં શુ થયું તે અંગે કોઈ વાત બહાર નહી આવતા સસ્પેન્સ ઊભું થયુ છે અને હત્યા થઈ હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
  • February 1, 2026

● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

Continue reading
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!
  • January 31, 2026

GOI-IES: દુનિયામાં એક એવો દેશ છે જેણે ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાના દેશમાં મફતમાં અભ્યાસ અને ઉપરથી લાખ્ખોના સ્ટાઈપેન્ડ માટેની ઓફર કરી છે,આ દેશની સરકાર ભારતના વિદ્યાર્થીઓને માત્ર રહેવા અને જમવાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 7 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?