
Panchmahal: પંચમહાલ જીલ્લાના ડુમેલાવ ગામના જંગલ વિસ્તારમાંથી એક પરિણિત મહિલાનો મૃતદેહ મળતાં ગ્રામજનોમાં ડર વ્યાપી ગયો છે. કુંડલા ગામની પરીણિતાની હત્યા થઈ હોવાની આશંકા છે. તાંત્રિક વિધિને લઈને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. પોલીસે સમગ્ર મામલે FSLને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડુમેવાલ ગામના એક જંગલમાંથી 30 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતાં ગામમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મૃતદેહ ગોધરા તાલુકાના કુંડલા ગામની પરિણીતા રંજનબેન કેવળભાઈ પટેલનો હોવાનુ અને તેનું પિયર બખ્ખર ગામ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ શહેરા પોલીસ અને પરિવારજનોને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ હત્યારાને ઝડપી પાડવા માગ કરી છે. પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
તાંત્રિક વિધિની આશંકા
મહિલાના મૃતદેહ પાસેથી ફુલ અને શ્રીફળ મળી આવતા તાત્રિક વિધિ કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જેથી શહેરા પોલીસે બે ત્રણ એંગલથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસની કારને હરિયાણામાં અકસ્માત, 3 પોલીસકર્મીના મોત | Ahmedabad Police car Accident
આ પણ વાંચોઃ Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?
આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra