
આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખાસ ઉપસ્થિત રહીને યુવાઓને સંબોધીને ચોટદાર ભાષણ કર્યું હતું.
ગુજરાતમાં આજે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર અને ભ્રષ્ટાચારની સમસ્યાથી જનતા પીડાઈ રહી છે. દારૂ વેચનારાઓ ખુલ્લા ફરી રહ્યાં છે અને તેમનો વિરોધ કરનારાઓને જેલમાં પૂરવામાં આવી રહ્યાં છે. ડ્રગ્સ વેચનારા ખુલ્લા ફરી રહ્યાં છે અને તેમનો વિરોધ કરનારાઓને જેલમાં નાંખવામાં આવી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરનારાઓ ખુલ્લા ફરી રહ્યાં છે તો બીજી તરફ તેનો વિરોધ કરનારાઓ સામે કેસ કરવામાં આવી રહ્યાં છે.
ધાનાણીએ વધુમાં કહ્યું કે, આજે જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તેવી સ્થિતિમાં જનતા પોતાની જાતને નિસહાય મહેસૂસ કરી રહી છે, ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ કમિટીના યુવા કાર્યકર્તાઓ પીડિત માણસોની આવાજ બનશે.
પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ શેરો શાયરી અંદાજમાં પરેશ ધાનાણીએ યુવાનોને આકર્ષિત કરતું ભાષણ કરીને આજના સમયમાં મંદી મોંઘવારી સામે સરકાર ઉપર આકરા પ્રહારો કરીને યુવાનો નવી દિશામાં કામ કરે તેવું આહવાન કર્યું હતું. સરકાર સામે પ્રહારો કરતાં તેમણે કહ્યું હતુ કે, દારૂ વેચનારા ખુલ્લેઆમ ફરે છે ને વિરોધ કરનારા જેલમાં પુરાઈ જઈ રહ્યાં છે.
ધાનાણીએ ગાંધીના ગુજરાતને બરબાદી તરફ ધકેલાતા યુવાનોએ જાગૃત બનવાની જરૂર હોવાનું જણાવીને આજે અમરેલી જિલ્લામાં નવનિયુક્ત નવા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ને સૌથી વિશેષ આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ને આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને અનુલક્ષીને યુથ કોંગ્રેસ દ્વારા અત્યાર થીજ તૈયારીઓ લાગી જવાની હાંકલ કરવામાં આવી હતી. આ સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ગુજરાતના નિર્ભયા કાંડ જેવી ઘટના અંગે આકરા પ્રહારો સરકાર સામે કર્યા હતા
ભાજપના નેતાઓ સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે, નિર્ભયાઓ થરથર કાંપી રહી છે અને નારી શક્તિ અવાજ ઉઠાવશે અને એ અવાજ કોંગ્રેસનો અવાજ હશે.