
Pawan Kalyan Sena Galam: દિલ્હી અને તમિલનાડુના રાજકીય ભૂકંપથી આંધ્રપ્રદેશના શાસકો પણ ફફડી ઉઠ્યા છે. તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયની ભવ્ય ચૂંટણી જીત અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી ૩૦ વર્ષીય અભિજીત દીપકેની ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના લોકપ્રિય ઉભરાથી પ્રેરિત થઈને જન સેના પાર્ટી (JSP) એ એક મોટો પેંતરો રચ્યો છે. જન સેનાના અધ્યક્ષ અને આંધ્રના નાયબ મુખ્યમંત્રી કે. પવન કલ્યાણે સ્થાપિત રાજકીય પરંપરાઓને પડકારવા અને નવી પેઢી એટલે કે ‘Gen Z’ ના યુવાનોને પોતાની તરફ ખેંચવા માટે ‘સેના ગાલમ’ નામની એક વિશેષ સમિતિ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.
જૂની રાજનીતિના વિસર્જનનો દાવો
હૈદરાબાદ સ્થિત જન સેના મુખ્યાલયમાં વરિષ્ઠ નેતાઓની કલાકો સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. પાર્ટીએ તેની સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિમાં સ્વીકાર્યું છે કે હવે જૂની, ઘસાઈ ગયેલી અને અપ્રસ્તુત થઈ ચૂકેલી રાજકીય પરંપરાઓનો સંપૂર્ણ બુરિયા વાળવાનો સમય આવી ગયો છે. પ્રગતિશીલ વિચારો સાથે આગળ વધવાનો દાવો કરતા પાર્ટી નેતાઓએ જણાવ્યું કે, આ નવી સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સૌહાર્દ વધારવાનો, દંભી રાજનીતિ બંધ કરવાનો અને બંધારણીય મૂલ્યોના નામે થતા નાટકો સામે અવાજ ઉઠાવવાનો છે. ખાસ કરીને એવા યુવાનો જે વર્તમાન વ્યવસ્થાથી કંટાળી ચૂક્યા છે, તેમના હકોની વાત આ પ્લેટફોર્મ પર કરાશે.
સમિતિની સ્થાપના પાછળ શાસક વર્ગનો એ ડર છુપાયેલો છે કે આજનો યુવાન હવે આંધળો ભક્ત રહેવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ડિજિટલ ક્રાંતિ એ વાતની સાક્ષી છે કે દેશના યુવાનો આર્થિક અનિશ્ચિતતા, બેરોજગારી અને જાહેર સંસ્થાઓના સરકારીકરણથી ભારે આક્રોશમાં છે. પ્રવર્તમાન રાજકીય માળખું તેમના જીવનને બહેતર બનાવવાને બદલે માત્ર ઉદ્યોગપતિઓ અને શાસકોની સેવામાં લાગેલું હોવાથી યુવાનોનો ભરોસો તૂટી ગયો છે. જો કે ‘સેના ગાલમ’ નું આખું માળખું હજુ જાહેર કરાયું નથી, પણ દાવો એવો છે કે તે શાસક વર્ગની મૂડીવાદી માનસિકતા” ને નકારીને જમીની વાસ્તવિકતા પર કામ કરશે.
વિજયની જીતથી પવન કલ્યાણને ‘ઈર્ષ્યા’
આંધ્રપ્રદેશમાં આ રાજકીય હલચલ પાડોશી રાજ્ય તમિલનાડુમાં થયેલા સત્તા પરિવર્તનના કારણે થઈ છે. ત્યાં અભિનેતા વિજયની ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) એ પોતાના સહયોગીઓ સાથે સીધી સરકાર બનાવી લીધી છે. રાજકીય વિશ્લેષકો પવન કલ્યાણની સરખામણી વિજય સાથે કરવા લાગ્યા હતા, જેનાથી અકળાયેલા કલ્યાણે આડકતરો પ્રહાર કરતા કહ્યું કે તેમની પાર્ટી ૧૫ વર્ષથી સંઘર્ષ કરે છે. તેમણે મજાકિયા અને કટાક્ષભર્યા અંદાજમાં સ્વીકાર્યું કે તેમને વિજયની આ આસાન જીતથી “થોડી ઈર્ષ્યા” પણ છે.
సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’
•జనసేనలో అంతర్గతంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు
•అనుచిత వ్యాఖ్యలు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలపై జనసేన పక్షాన కమిటీ సభ్యులే బాధ్యతాయుతంగా స్పందిస్తారు
•జెన్ జీ యువత ఆలోచనలు… ఆశయాలను అర్థం… pic.twitter.com/W78e7pmEub— JanaSena Party (@JanaSenaParty) May 31, 2026
કટઆઉટ અને હોલોગ્રામની રાજનીતિ પર પ્રહાર
તમિલનાડુમાં નવી સરકાર બન્યા બાદ આંધ્રના એક સાર્વજનિક કાર્યક્રમમાં પવન કલ્યાણે સિસ્ટમ પર કટાક્ષ કરતા કહ્યું કે, “વિજયની પાર્ટીએ માત્ર કટઆઉટ, હોલોગ્રામ અને સોશિયલ મીડિયાના જોરે મોટી જીત મેળવી લીધી, જ્યારે મારે જમીન પર આધાર બનાવવા ૧૫ વર્ષ સુધી રસ્તાઓની ધૂળ ફાંટવી પડી છે.” જો કે, તેમણે TVK ની સફળતાના બહાને સ્થાપિત રાજકીય પક્ષોને ચેતવણી આપતા ઉમેર્યું કે, જનતા હવે પરંપરાગત નેતાઓથી કંટાળી ગઈ છે અને પોતે જ રાજકીય દ્રશ્ય બદલવા માટે કટિબદ્ધ છે. આંધ્રપ્રદેશમાં ૧૫ થી ૩૪ વર્ષના યુવાનોની વસ્તી કુલ વસ્તીના ૩૫ ટકાથી વધુ છે, જેને સત્તાધારીઓ નજરઅંદાજ કરી શકે તેમ નથી.
જ્ઞાતિવાદી રાજનીતિના ઓથા હેઠળ લૂંટ
વિપક્ષી દળ વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના નેતાઓ પર આકરા પ્રહારો કરતા પવન કલ્યાણે આરોપ લગાવ્યો કે, સ્થાપિત નેતાઓ જનતાને જ્ઞાતિ, ધર્મ અને સમુદાયના નામે લડાવીને સામાજિક તણાવ પેદા કરી રહ્યા છે જેથી સત્તા સુખ ભોગવી શકાય. ઉલ્લેખનીય છે કે, YSRCP દ્વારા અવારનવાર તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને જન સેના (JSP) ના સહયોગી ગણાતા કમ્મા અને કાપુ સમુદાયના મંત્રીઓ પર અંગત અને અપમાનજનક ટિપ્પણીઓ થતી રહી છે. પવન કલ્યાણે કહ્યું કે આજનો સજાગ યુવાન આવી ગંદી અને વિભાજનકારી રાજનીતિના સખત વિરોધમાં છે અને વ્યક્તિગત ભૂલો માટે આખા સામાજિક જૂથને બદનામ કરવાનો ખેલ હવે બંધ થવો જોઈએ.
આ પણ વાંચો:







