Philadelphia Jet Crash: અમેરિકામાં 3 દિવસમાં બીજી વિમાન દુર્ઘટના, દર્દીઓને લઈ જતું વિમાન ક્રેશ, એક પણ બચનાની આશા નહીં

  • World
  • February 1, 2025
  • 0 Comments

Philadelphia Jet Crash: અમેરિકામાં ત્રણ દિવસમાં બીજી વિમાન  દુર્ઘટના ઘટી છે.  અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક રહેણાંક વિસ્તારમાં મેડિકલ ટ્રાન્સપોર્ટ જેટ વિમાન ક્રેશ થયું છે. આ એમ્બ્યુલન્સ વિમાન દર્દીઓને લઈ જઈ રહ્યું હતું. જેમાં 1 નાના બાળક સહિત 6 લોકો સવાર હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFP અનુસાર તમામ 6 લોકોના મોતની આશંકા છે, જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આ વિમાન દુર્ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. પરંતુ અમે રાહત અને બચાવ કાર્યમાં સંપૂર્ણપણે જોડાયેલા છીએ.

 1,600 ફૂટ ઊંચાઈએથી વિમાન ક્રેશ થતાં લાગી આગ

 

ફર્સ્ટ રિસ્પોન્ડર્સે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને કાબૂમાં લેવા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

અહેવાલો અનુસાર, આ એમ્બ્યુલન્સ વિમાન એક શોપિંગ મોલ પાસે આગના ગોળાની જેમ ક્રેશ થયું હતું. આ એક રહેણાંક વિસ્તાર છે, જેના કારણે કેટલાંક ઘરો આગની લપેટમાં આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર નાનું એમ્બ્યુલન્સ વિમાને શુક્રવારે સાંજે 6:06 વાગ્યે(સ્થાનિક સમય) એરપોર્ટથી ઉડાન ભરી હતી અને 1,600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી લગભગ 30 સેકન્ડ પછી રડારથી ગાયબ થઈ ગયું હતું. મેડિકલ ટ્રાન્સપોર્ટ કંપની જેટ રેસ્ક્યુ એર એમ્બ્યુલન્સે નિવેદન આપ્યું છે. કોઈ બચ્યું કે નથી બચ્યું તેની પુષ્ટી કરી શકાય નથી. હાલ બચાવ કામગરી ચાલું છે.

 ઘટનાસ્થળ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી લગભગ 4.8 કિલોમીટર (1.5 માઇલ) ઉત્તરપૂર્વમાં આવેલું છે, જે મુખ્યત્વે કોમર્શિયલ જેટ અને ચાર્ટર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. કંપનીએ કહ્યું કે તેમની ટીમ દર્દીના પરિવાર, ફ્લાઇટ ક્રૂ અને જમીન પર ઘાયલ થયેલા લોકોનું રેસ્કયૂ કરી સારવાર અર્થે ખસેડી રહી છે.

3 દિવસ પહેલા થયેલા વિમાન દુર્ઘટનામાં 67 લોકોના મોત થયા હતા

અમેરિકામાં 3 દિવસમાં આ બીજો ભયાનક વિમાન અકસ્માત છે. 3 દિવસ પહેલા, બુધવારે રાત્રે, વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક રોનાલ્ડ રીગન એરપોર્ટથી થોડે દૂર 64 મુસાફરોને લઈ જતું એક વિમાન યુએસ આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. ટકરાતાની સાથે જ બંનેમાં વિસ્ફોટ થયો અને નદીમાં પડી ગયા. આ રીતે, બંને વિમાનમાં સવાર કુલ  67 લોકોના મોત થયા હતા.  આ વિમાન દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

 

આ પણ વાંચોઃ Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, દ્રૌપદી મુર્મુને બજેટની કોપી સોંપી, આજે સંસદમાં રજૂ કરશે

  • Related Posts

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
    • June 27, 2026

    Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

    Continue reading
    Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
    • June 27, 2026

    Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

    • June 28, 2026
    • 4 views
    UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

    Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

    • June 28, 2026
    • 6 views
    Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

    Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

    • June 28, 2026
    • 10 views
    Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    • June 27, 2026
    • 6 views
    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    • June 27, 2026
    • 7 views
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 9 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા