મોદીનું કોરોના કાળમાં ફ્રી વેક્સીન કૌભાંડ!, હજારો કરોડની લોન લીધી, સાંસદના ગંભીર આરોપ | Corona Vaccine

  • India
  • September 19, 2025
  • 0 Comments

Corona Free Vaccine Scam Allegations: રાજ્યસભા સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ નેતા સાકેત ગોખલેએ મોદી સરકાર પર કોવિડ-19 રસીકરણ અભિયાન અને PM-CARES ફંડને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિસ્ફોટક પોસ્ટમાં ગોખલેએ સરકાર દ્વારા “મફત” ગણાવવામાં આવેલી કોવિડ-19 રસીઓને એક “કૌભાંડ” ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ રસીઓ માટે સરકારે વિદેશી બેંકો પાસેથી ₹26,460 કરોડનું દેવું લીધું હતું, જેનો બોજ હવે ભારતીય જનતા પર પડી રહ્યો છે. આ ઉપરાંત, PM-CARES ફંડની ગુપ્તતા અને તેના ઉપયોગ પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે, જેને તેમણે “મોદીનું ખાનગી ગુપ્ત ભંડોળ” ગણાવ્યું છે.

વિદેશી દેવાનો આરોપ અને આર્થિક બોજ

સાકેત ગોખલેની X પોસ્ટમાં લખતાં આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે કોવિડ-19 રસીઓ ખરીદવા માટે વિદેશી બેંકો પાસેથી ઓછામાં ઓછા 3 બિલિયન ડોલર (આશરે ₹26,460 કરોડ)ની લોન લીધી હતી. આ ઉપરાંત, કોવિડ સંકટનો સામનો કરવા માટે સરકારે કુલ 7.25 બિલિયન ડોલર (આશરે ₹64,000 કરોડ)નું વિદેશી દેવું ઉઠાવ્યું હતું. આ રકમની ચુકવણી હવે ભારતીય નાગરિકોને તેમના ટેક્ષ દ્વારા કરવી પડી રહી છે. ગોખલેનો સવાલ છે કે, જો આટલું મોટું દેવું લેવું પડ્યું હોય, તો સરકારે રસીઓને “મફત” ગણાવીને લોકોને ગેરમાર્ગે કેવી રીતે દોર્યા? તેમણે આને “આર્થિક લૂંટ” ગણાવીને સરકારની નીતિઓ પર પ્રહાર કર્યો છે.

PM-CARES ફંડની રહસ્યમય ગુપ્તતા

કોવિડ-19 રોગચાળા દરમિયાન 2020માં રચાયેલું PM-CARES ફંડ પણ ગોખલેના નિશાના પર છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ફંડમાં હજારો કરોડ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. સરકારે PM-CARES ફંડને “ખાનગી ભંડોળ” ગણાવ્યું છે, જોકે તે રાષ્ટ્રીય પ્રતીક અને સરકારી વેબસાઈટનું સરનામું (pmcares.gov.in) વાપરે છે. ગોખલેનો દાવો છે કે આ ફંડનો ઉપયોગ અને ખર્ચની વિગતોને ગુપ્ત રાખવામાં આવી છે, જેના કારણે તેની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. તેમણે આ ફંડને “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિગત ગુપ્ત ભંડોળ” ગણાવીને તેની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.

‘PM-CARES ફંડનો હિસાબ આપવામાં સરકારની નિષ્ફળતા’

ગોખલેનો મુખ્ય આરોપ છે કે મોદી સરકારે કોવિડ-19 રસીઓને “મફત” ગણાવીને લોકોની લાગણીઓ સાથે ખેલ કર્યો છે. તેમણે પૂછ્યું છે કે, જો રસીઓ માટે ₹26,460 કરોડનું વિદેશી દેવું લેવું પડ્યું હોય PM કેરનો શું અર્થ?, રસી માટે કેરમાંથી નાણા ખર્ચ્યા હોય તો લોન લેવાની કેમ જરુરુ પડી? આ ઉપરાંત, PM-CARES ફંડમાં એકત્ર થયેલા હજારો કરોડ રૂપિયાનો હિસાબ આપવામાં સરકારની નિષ્ફળતા પણ તેમણે ઉજાગર કરી છે. ગોખલેનો દાવો છે કે આ ફંડનો ઉપયોગ કદાચ રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવ્યો હોઈ શકે, જેને તેમણે “કોવિડનો બહાના” તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ આરોપોએ દેશના રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચાવી દીધો છે.  ગોખલેના આ નવા આરોપોએ આ મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે.

 

આ પણ વાંચો:

‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat

PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!

PM Modi in bhavnagar: મોદીએ ભાવનગરવાસીઓ સાથે કર્યો અન્યાય, પૂર્વ ભાજપ ધારાસભ્યએ ખોલી પોલ

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

ભાવનગરને લટકતું ગાજર દેખાડતાં મોદી કલ્પસર, ધોલેરા સ્માર્ટ સીટી મુદ્દે કોઈ નિર્ણય લેશે? | PM Modi

 

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 3 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 6 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 8 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત