
■ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું આ ભારતીય નેવીના ગેસ્ટ શિપ ઉપર કાયરતાપૂર્ણ હુમલો
■ અમેરિકન સબમરીન શુ પહેલેથીજ ભારતીય સમુદ્રમાં હતી? ઇરાનના આ યુદ્ધ જહાજનો વિશાખા પટ્ટનમથી પીછો થયો હતો ? જાણો મામલો શુ હતો? વિશ્લેષકો શુ કહે છે?
Narendramodi: ભારતમાં વિશાખાપટ્ટનમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ 2026માં આ ઈરાની જહાજે ભાગ લીધો હતો.
આ નૌકાદળ કવાયત “MILAN 2026” માં ભાગ લેવા ભારતે આમંત્રિત કરેલું ઈરાની નૌકાદળના યુદ્ધ જહાજ “IRIS Dena” ને અમેરિકાએ તોડી પાડ્યું જેનાથી વિશ્વમાં આડકતરી રીતે ભારતની છબી ખરડાઈ છે અને ઈરાન પણ ભારતની અમેરિકા તરફી નીતિને કારણે ચોંકી ગયું છે.
આ ઘટના બાદ ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટ્વિટર પર લખ્યું, “ભારતીય નેવીના ગેસ્ટ શિપ તરીકે આશરે 130 ખલાસીઓને લઈ જતી ફ્રિગેટ દેના શિપને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ચેતવણી આપ્યા વિના નિશાન બનાવવામાં આવી હતી. અમેરિકાને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.”
શ્રીલંકાના દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં ઈરાની નૌકાદળના યુદ્ધ જહાજ “IRIS Dena” ને અમેરિકાની સબમરીને ટોર્પિડો કરીને ઊંડા સમુદ્રમાં ડૂબાડી દીધું જેમાં 80ના મોત થઈ ગયા અહેવાલ છે,અમેરિકાએ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે,જોકે, શ્રીલંકાના અધિકારીઓએ માનવતાના ધોરણે “IRIS Dena” ના 32 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા પરંતુ 148 અન્ય ખલાસીઓ ગુમ થઈ ગયા છે જેઓની બચવાની આશા નહિવત છે.
યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સબમરીન હુમલાની પુષ્ટિ કરતા કહ્યું છે કે અમેરિકા વિશ્વમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે. હેગસેથે કહ્યું કે ઈરાની જહાજ આંતરરાષ્ટ્રીય પાણીમાં પોતાને સુરક્ષિત માનતું હતું, પરંતુ યુએસ ટોર્પિડોએ તેનો ત્યાંજ નાશ કરી દીધો છે.
હવે આ ઘટના બાદ ભારતની અમેરિકા તરફી નીતિ અંગેના સવાલો ઉભા થયા એક એવી વાત પણ ચર્ચામાં આવી છે કે અમેરિકન સબમરીને ભારતની જળસીમાનો ઉપયોગ કર્યો તો તેને પરમિશન કોણે આપી? વિશાખા પટ્ટનમ ખાતે પણ આ સબમરીનની હાજરી હોવાની ચર્ચા અને ઈરાની જહાજનો પીછો કરવો વગરે ત્યારબાદ જેવું આ ઈરાની યુદ્ધ જહાજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશ્યું કે તરત તેનો નાશ કરવામાં આવ્યો.
હવે જે જહાજ મિત્ર ભારતની મહેમાન ગતિએ આવ્યું હોય અને પરત ફરતી વેળાએ તેની ઉપર હુમલો થાય અને તેમાંય અમેરિકા હોય ત્યારે ભારતની નીતિ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે અને મોદી શા માટે આટલી હદ સુધી અમેરિકાના પ્રભાવમાં છે અને તેની પાછળનું શુ કારણ હોય શકે તેવા સવાલોના ઘેરામાં આ મામલે સિનિયર પત્રકારો મયુર જાની તેમજ અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.









