
Rahul Gandhi on PM Modi: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીએકવાર દક્ષિણ કોરિયાની ધરતી ઉપરથી ભારતના નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનને ધમકાવીને યુદ્ધ વિરામ કરાવ્યો હોવાનું નિવેદન આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે ટ્રમ્પ 50 વખત જાહેરમાં બોલ્યા છે કે નરેન્દ્ર મોદીને ધમકી આપી યુદ્ધ વિરામ કરાવ્યો છે છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પથી એટલા ડરે છે કે ખુલ્લેઆમ ટ્રમ્પનુ નામ લઈ બોલી પણ નથી શકતા કે ટ્રમ્પ બોલ્યા તે ખોટું છે.બિહારના દરભંગામાં એક ચૂંટણી રેલીને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે ટ્રમ્પ વિવિધ દેશોમાં પીએમ મોદીનું અપમાન કરી રહ્યા છે છતાં મોદી ચૂપ છે
રાહુલ ગાંધીએ કહ્યું,નરેન્દ્ર મોદી ડરપોક છે!
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે તેમણે પીએમ મોદીને ઓપરેશન સિંદૂર રોકવા માટે ધમકાવવામાં આવ્યા હતા અને 250 ટેરિક લાદવાની ધમકી આપી હતી તેથી તે માની ગયા.રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ટ્રમ્પે કહ્યું છે કે સાત વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા ટ્રમ્પે ૫૦ વાર કહ્યું કે તેમણે નરેન્દ્ર મોદીને ઓપરેશન સિંદૂર રોકવા માટે ડરાવ્યા હતા, પરંતુ મોદીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. પીએમ મોદીમાં કંઈ કહેવાની હિંમત નથી. આવા માણસ બિહારમાં ક્યારેય વિકાસ લાવી શકતા નથી.”
રાહુલ ગાંધીએ કહ્યું, “1971ના યુદ્ધ દરમિયાન, ઇન્દિરા ગાંધીએ અમેરિકન રાષ્ટ્રપતિને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે તમારાથી ડરતા નથી. વડા પ્રધાનો આવા જ હોય છે. ટ્રમ્પે એક કે બે વાર નહીં પરંતુ 50 વાર કહ્યું છે કે તેમણે ઓપરેશન સિંદૂર બંધ કરી દીધું છે. તેઓ (ટ્રમ્પ) આપણી સેના, આપણી વાયુસેના વિશે વાત કરી રહ્યા છે. આપણા વડા પ્રધાનમાં એ કહેવાની હિંમત નથી કે ટ્રમ્પ જે કહી રહ્યા છે તે ખોટું છે.
હવે,હું પીએમ મોદીને પડકાર ફેંકું છું કે જો મોદી સાચા હોય તો જ્યારે તેઓ બિહાર આવે છે, ત્યારે તેમણે જાહેરમાં કહેવું પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈ જાહેરમાં કહેવું પડશે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે પણ તેવું તે નહિ કરે, કારણકે તેઓ ટ્રમ્પથી ડરે છે.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે (29 ઓક્ટોબર, 2025) દક્ષિણ કોરિયા ગયા ત્યાં પોતાના ભાષણ દરમિયાન ટ્રમ્પે ભારત-પાકિસ્તાન તણાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે બંને દેશો લડી રહ્યા હતા, ત્યારે તેમણે તેમને યુદ્ધ બંધ કરવા જણાવી તેમણે બંને દેશો પર 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના કારણે તાત્કાલિક યુદ્ધવિરામ થયો હતો.આમ,ટ્રમ્પ દુનિયાભરમાં ભારત-પાકિસ્તાને પોતાના કહેવા પર યુદ્ધ અટકાવી દીધાનો દાવો કરી રહયા છે અને પાકિસ્તાને તે વાત સ્વીકારી લીધી છે પણ મોદી ઇન્કાર કરી રહયા છે પણ વિપક્ષનું કહેવું છે કે જો તમે સાચા હોયતો જાહેરમાં કે પ્રેસ કોંફરન્સ કરી મોદી પોતેજ ટ્રમ્પનું નામ લઈ ખુલાસો કેમ નથી કરી રહ્યા? તેમણે પણ ટ્રમ્પનું નામ લઈ કહી દેવું જોઈએ કે ટ્રમ્પ જુઠ્ઠું બોલે છે અમારે આવી કોઈ વાત નથી થઈ અને ભારત કોઈથી ડરતું નથી તે કોઈની મધ્યસ્થી સ્વીકારતું નથી પણ આવું મોદી બોલતા નથી તે દર્શાવે છે કે તેઓ આવું બોલતા ડરે છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!









