
મળતી જાણકારી અનુસાર આજે સવારે લગભગ 9 વાગ્યાની આસાપાસ રાજકોટમાં આવેલા નાકરાવાડી વિસ્તાર નજીક આવલી KBZ ફૂડ કંપનીમાં એકાએક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતાં શ્રમિકોમાં ભાગદોડ મચી ગઈ છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં જ ટીમો દોડી આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે.
આગ એટલી ભીષણ છેકે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટા જોવા મળી રહ્યાં છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 4થી વધુ ગાડીઓ આવી પહોંચી છે. 108ની ટીમ સહિત પોલીસ ટીમ પણ બનાવ સ્થળે પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર લાગેલી ભીષણ આગના કારણે કંપનીમાં મોટું નુકસાન પહોંચ્યું છે. અત્યાર કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ પણ વાંચોઃ Rajkot: નમકીનની કંપની ભંયકર આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:
આ પણ વાંચોઃ Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ
આ પણ વાંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ