
Rajkot News: ગુજરાતમાં પ્રતિબંધિત કહેવાતા દારુની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. ગુજરાતમાં દરેકપણે દારુની વાત તો આવી જ જતી હોય છે. ગુજરાતમાં કહેવાતાં પ્રતિબંધિત દારુની અનેક ક્ષેત્રોમાં વાત થયા વગર ન રહે તે ભાગ્યે જ બને. ત્યારે હવે રાજકારણીયો પણ દારુને લઈ બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે.
પાટીદારો નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છેઃ શંકરસિંહ વાઘેલા
દારૂ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકોટના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. વાઘેલાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારો નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે. ઘણી જગ્યાએ બહેનો પણ દારૂ પીવે છે. બાપુએ તો ગુજરાતમાં દારૂબંધીના કાયદાને જ ખોટો ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું હતુ કે પાડોશના રાજ્યોમાં દારૂની છૂટ છે જેના કારણે ગુજરાતમાં દારૂબંધીમાં સફળતા નહીં મળે.
દારૂ કાંઇ તોફાન કરવા માટે નથી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. કોઇ સમાજમાં દારૂનું દૂષણ હોય એવું ન હોય પણ દારૂનું દૂષણ છે એ રીતે ટ્રીટ થાય છે. કારણ કે, દારૂ પીવાની પાબંધી છે, પાબંધી હોય એટલે એમાંથી અનિષ્ટ ઉભી થાય. એટલે અનિષ્ટ થઈ રહ્યું છે. માટે એને ખોલી નાખવાની વાત છે. તમે આને વ્યસન તરીકે ન લો. દારૂ કાંઇ તોફાન કરવા માટે નથી. લોકો ચા-કોફી પીતા હોય છે.
ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ પણ આપ્યું હતુ દારુ અંગે નિવેદન
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ સમાજને અપીલ કરતા કહ્યું હતું કે, “પીળું પાણી રાખતા હોય તો તે છોડી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે, આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે.” ત્યાર બાદ આ બીજુ નિવેદન વાઘેલાએ આપતાં દારુબંધી ફરી ચર્ચામાં આવી છે.
આ પણ વાંચોઃ Pregnancy Test: ગુજરાતના આ તાલુકામાંથી ગર્ભપરીક્ષણ કરતી હોસ્પિટલ ઝડપાઈ!, જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ
આ પણ વાંચોઃ Mahakumbh: સંગમનું પાણી ન્હવા લાયક નથીઃ કરોડો લોકોએ સ્નાન કરી લીધા બાદ CPCBનો રિપોર્ટ