
Rudraprayag Bus Accident: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક મોટો અકસ્માત થયો છે, મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈ ઘોલથીર વિસ્તારમાં અલકનંદા નદીમાં ખાબકી છે. અકસ્માત દરમિયાન લગભગ ચાર-પાંચ લોકો બસમાંથી નીચે પટકાયા. આ પછી સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો. આ બસમાં લગભગ 18-20 મુસાફરો હતા, જેમાંથી આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બચાવ ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત બદ્રીનાથ હાઇવે પર થયો છે, જ્યાં ગોલથીર નજીક બસ નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો હતા. બસ ટેકરી પરથી નીચે ઉતરી ગઈ અને સીધી અલકનંદા નદીમાં પડી ગઈ. ખરાબ હવામાન અને પર્વતોમાં વરસાદને કારણે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. અકસ્માત દરમિયાન, લગભગ ચાર-પાંચ લોકો બસમાંથી નીચે પડી ગયા હતા અને ટેકરીઓ પર ફસાઈ ગયા હતા. જેમને શોધવામાં આવી રહ્યા છે.
SDRF ની ટીમ ઘટના સ્થળે
ઘટનાની માહિતી મળતા જ SDRF ની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત થયું છે. નદીના પ્રવાહ ઝડપી હોવાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે.
વરસાદને કારણે અલકનંદા નદીમાં જોરદાર પ્રવાહ હતો, તેથી મુસાફરો નદીમાં તણાઈ જવાની શક્યતા છે. આ બસ અકસ્માત અંગે માહિતી આપતાં ઉત્તરાખંડ પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે, “રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથિર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર ગઈ અને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં 18 લોકો હતા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.”