
● શ્રીકાંત આપ્ટે
Satire: ભારતમાં પ્રવાસન ઉદ્યોગ દિવસે દિવસે ઝડપથી વિકાસ કરી રહ્યો છે,એ આનંદની વાત છે. એમાંય દેશમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની ઓળખ થયા પછીથીતો પ્રવાસનની લોકપ્રિયતા પણ બહુ વધી ગઈ છેશહેરોની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ બાંગ્લાદેશી ઘુસણખોરો ખૂબ પ્રવાસનપ્રેમી છે પ્રવાસન પ્રત્યેના પ્રેમને કારણે તેઓ જ્યાં પણ ચૂંટણીઓ થાય છે ત્યાં પહોંચી જાય છે.
બિહારમાં ચૂંટણી થાય તો બિહાર પહોંચી જાય છે. બિહારનું કામ પૂરું કરીને જ્યારે બંગાળમાં ચૂંટણી થાય તો બંગાળ પહોંચી જાય છે. આપણો દેશ એટલો વિશાળ છે કે અહીં-ત્યાં વર્ષભર ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ ચાલતી જ રહે છે. જ્યાં ચૂંટણી, ત્યાં તેઓ — આવી સ્થિતિ છે આ ઘુસણખોરોની.
■બાંગ્લાદેશી ઘુસણખોરોના એક જૂથની વાતચીત
એક: આસામમાં ચૂંટણી ચાલી રહી છે,તમે તો જ જવાના હશો.
બીજો : આસામમાં અમે છેલ્લી ચૂંટણીમાં ગયા હતા,આ વખતે તમિલનાડુ જવાનો પ્લાન છે.
ત્રીજો: અમે તો આ વખતે પુડુચેરી જઈશું, તમિલનાડુમાં છેલ્લી ચૂંટણીમાં ગયા હતા.
ચોથો : અમે છેલ્લી ચૂંટણીમાં કેરળ ગયા હતા અને આ વખતે પણ જઈશું.
બંગાળની ચૂંટણી સૌથી છેલ્લે છે, એટલે બધાં બંગાળ તો જશે જ જરા વિચાર કરો કે જો ચૂંટણી ન હોય તો આ ઘુસણખોરો શું કરશે? અથવા જો ઘુસણખોરો ન હોય તો ચૂંટણીઓનું શું થશે? આપણા દેશના પ્રવાસન ઉદ્યોગનું શું થશે? ‘બાત કુછતો દમ હૈ ભીડું!’
નોંધ:- આ લેખ વ્યંગકાર-લેખક શ્રી શ્રીકાંત આપ્ટેએ લખ્યો છે, તેઓ વ્યંગાત્મક લેખન માટે જાણીતા છે અને તેઓએ પોતાના અંગત વિચારો અને ટિપ્પણી વ્યગાત્મક શ્રેણીમાં પ્રગટ કર્યા છે)
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









