
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા માણેકપુર ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામની 5000થી વધુ વસ્તી પાણીની અછતને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ સમસ્યાના વિરોધમાં ગામના મહિલા સરપંચ ભાવુબેન લાખાભાઈ રાઠોડ તેમના પતિ અને બે બાળકો સાથે પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે ધરણાં પર બેઠા છે.
ભાવુબેને જણાવ્યું કે ગામમાં પાણીનો સ્ટોરેજ સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી અને પશુઓ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો અન્ય પાસેથી પાણી માંગવા અને ખારા પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. તેમણે ઉમેર્યું કે તેઓ છેલ્લા પાંચ દિવસથી સ્નાન પણ કરી શક્યા નથી. સરપંચે અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી.
સરપંચના પતિએ કહ્યું કે પાણી ન મળવાનું કારણ તંત્ર આપે છે કે પાણી પાઈપલાઈન તૂટેલી છે. તેમણે વધુ કહ્યું આ તૂટેલી પાઈપલાઈનનું ત્રણ દિવસ સમારકામ થયા પછી પણ પાણી મળ્યું નથી.
મહિલા સરપંચે ખોખારીને કહ્યું છે કે જ્યાં સુધી ગામમાં પાણીનો પુરવઠો નહીં શરૂ થાય ત્યાં સુધી તેઓ ધરણાં ચાલુ રાખશે. બીજી તરફ પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ઇન્ચાર્જ અધિકારી સહિત અન્ય અધિકારીઓ ગેરહાજર હોવાનું જાણવા મળ્યું છે. ટેલિફોનિક વાતચીતમાં એક અધિકારીએ આજે જ પાણી પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
ગામના લોકો અને સરપંચે સરકાર અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આ સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે, અને તેઓ ઝડપી ઉકેલની અપેક્ષા રાખે છે.
સવાલ એ પણ થાય કે નલ સે જલ યોજનાના ફાકા મારતી ગુજરાત સરકાર અહીં કેમ હજુ સુધી પાણીની સમસ્યા હલ કરી શકી નથી. જાણળવા મળ્યું છે કે ગુજરાતના 500 ગામોમાં ટેન્કરથી પાણી આપવમાં આવી રહ્યું છે. જો કે આ માણેકપુર ગામને ટેન્કરથી પાણી નથી આપતું.
આ પણ વાંચો:
‘દેશ કા TATA નમક’ એ દ્વારકાના ખેડૂતોની પથારી ફેરવી,’જેની બાજુ TATA હોય એને ખબર પડે’ | Part-3
India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!
Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
Idar: શાહી પરિવારે રાજકુંવરીને સોંપી રાજગાદી, પિતાનો વારસો આગળ ધપાવશે!
Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા
Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?
રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?
Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?