અજબ ગજબ: ભત્રીજાએ ફોઈ સાથે લગ્ન કર્યાં એટલે ગામલોકોએ બંનેને હળે જોતર્યા, વૃદ્ધાને જીવતી કરવા મૃતદેહને છાણમાં દાટી દીધો

  • India
  • July 12, 2025
  • 0 Comments

અજબ ગજબ: કપલ્સના આજના સમયમાં પણ આપણા દેશમાં લગ્ન અને પ્રેમસંબંધમાં નાતજાતની સાથેસાથે સંબંધોને પણ મહત્ત્વ આપવાનું ચલણ જળવાઈ રહેલું છે. ઓડિશામાં યુવકે ફોઈ સાથે લગ્ન કર્યાં તો જામની પંચાયતે બંનેને સજાના ભાગરૂપે અપમાનિત કર્યાં અને ખેતરમાં બળદની જેમ હળે જોતરીને ખેતી કરાવી હતી. એ પછી બંનેને મંદિરમાં લઈ જઈને કથિત રીતે પાપ શુદ્ધ કરવા માટે શુદ્ધીકરણનું અનુષ્ઠાન પણ કરાવ્યું હતું.

ભત્રીજાએ ફોઈ સાથે લગ્ન કર્યાં એટલે ગામલોકોએ બંનેને હળે જોતર્યા

ઓડીશાના રાયગઢ જિલ્લામાં એક ગામ છે, કંજમાઝિરા ગામ. ગામના યુવક અને તેના પિતાની બહેન એટલે કે ફોઈ વચ્ચે પ્રેમ થઈ ગયો. અને લગ્ન પણ કરી લીધાં હતાં. બંનેનાં લગ્ન ગામના લોકોને સ્વીકાર્ય નહોતાં. યુવક અને યુવતી ફોઈ-ભત્રીજો થતાં બંને વચ્ચે લોહીના સંબંધ હતા. એટલે ગ્રામજનો આ લગ્નની વિરુદ્ધ હતા એટલે પહેલાં તો બંનેને ગામ બહાર ધકેલી દીધા હતા. એ પછી પાછા બોલાવીને બંનેને બળદની જેમ હળે જોતર્યાં અને ખેતી કરાવી હતી.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ એક ટીમ સાથે ગામની મુલાકાત લીધી અને ફરિયાદ દાખલ કરી છે. ફોઈ-ભત્રીજાને શોધવાના કામમાં પોલીસ જોતરાઈ છે. જાન્યુઆરીમાં પણ આવી જ ઘટના બની હતી. રાયગઢમાં મહિલાએ પર જ્ઞાતિમાં લગ્ન કરતાં એક પરિવારના 40 સભ્યે મહિલાનું મુંડન કરાવ્યું હતું.

વૃદ્ધાને જીવતી કરવા મૃતદેહને છાણમાં દાટી દીધો

બીજી બાજુ, ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં મહિલાને ઝેરી સાપ કરડી ગયેલો. મહિલાને લઈને પરિવાર સ્વાસ્થ્ય કેન્દ્ર ગયો તો ડૉક્ટરે મૃત જાહેર કર હતી. પરિવારને ડૉક્ટરની વાત પર વિશ્વાસ નહોતો બેસતો એટલે મહિલાનો મૃતદેહ લઈને એક તાંત્રિક પાસે પહોંચ્યા. તાંત્રિકે મહિલાને 24 કલાકમાં જીવતી કરવાનો દાવો કર્યો અને મૃતદેહ છાણમાં દાટી દીધો હતો. જોકે મોડી રાતે મૃતદેહ છાણમાંથી બહાર કાઢ્યો હતો.

આ વાત મળી એટલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયોજકો સમર્થકોને લઈને સ્થળ પર પહોંચી ગયા અને તાંત્રિકના ખોટા દાવા સામે હોબાળો મચાવ્યો હતો. ચકપુરવા ગામનાં 60 વર્ષનાં કલાવતી દેવીને સાપે ડંખ માર્યો હતો. ગુરુવારે બપોરે કલાવતી દેવી ખેતરમાં કામ કરતાં હતાં ત્યારે સાપે ડંખ માર્યો હતો. સર્પદંશની ખબર પડતાં જ પરિવારજનો તેમને નજીકના વિસવાં ખુર્ગ ગામમાં વૈદ્ય પાસે લઈ ગયા પણ કોઈ ફેર ન પડ્યો એટલે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરે કહ્યું કે કલાવતી દેવી મૃત્યુ પામ્યાં છે. આ સાંભળીને પરિવાર આકળવિકળ થઈ ગયો. વાત મળતાં ઇસ્માઇલ ગંજમાં આવેલા રામ જાનકી મંદિરના તાંત્રિક કૃપાલ દાસ ગામે પહોંચ્યા અને કલાવતી દેવીને જીવિત કરવાનો દાવો કર્યો. કલાવતી દેવીને 24 કલાક સુધી છાણ નીચે દબાવી દેવામાં આવે તો એ જીવતાં થઈ જશે, એવો તાંત્રિક કૃપાલ દાસે દાવો કર્યો. તાંત્રિકના દાવાને કારણે પરિવારે પરવાનગી આપી. પછી તાંત્રિકે કલાવતી દેવીનો મૃતદેહ છાણ નીચે દાટી દીધો.

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 
  • Related Posts

    UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન
    • October 30, 2025

    UP News: માતા પુજનીય કહેવાય છે માતાના પ્રેમને વ્યક્ત કરતી અનેક વાર્તાઓ તમે સાંભળી હશે રહેવાય છે કે માતા પોતાના સંતાનો માટે કંઈ પણ કરી શકે છે. પરંતું માતાને મમતાને…

    Continue reading
    UP: ‘તમે 10 મુસ્લીમ છોકરીને લઈને જાઓ, લગ્નની જવાબદારી અમારી’, ભાજપ પૂર્વ MLAનું વિવાદાસ્પદ નિવેદન
    • October 30, 2025

    UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક  આશ્ચાર્યજનક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

    • October 31, 2025
    • 4 views
    Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

     Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

    • October 31, 2025
    • 6 views
     Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

    Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

    • October 31, 2025
    • 5 views
    Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

    India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

    • October 31, 2025
    • 9 views
    India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

    PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

    • October 31, 2025
    • 11 views
    PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

    UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન

    • October 30, 2025
    • 11 views
    UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન