અજબ ગજબ: ભત્રીજાએ ફોઈ સાથે લગ્ન કર્યાં એટલે ગામલોકોએ બંનેને હળે જોતર્યા, વૃદ્ધાને જીવતી કરવા મૃતદેહને છાણમાં દાટી દીધો

  • India
  • July 12, 2025
  • 0 Comments

અજબ ગજબ: કપલ્સના આજના સમયમાં પણ આપણા દેશમાં લગ્ન અને પ્રેમસંબંધમાં નાતજાતની સાથેસાથે સંબંધોને પણ મહત્ત્વ આપવાનું ચલણ જળવાઈ રહેલું છે. ઓડિશામાં યુવકે ફોઈ સાથે લગ્ન કર્યાં તો જામની પંચાયતે બંનેને સજાના ભાગરૂપે અપમાનિત કર્યાં અને ખેતરમાં બળદની જેમ હળે જોતરીને ખેતી કરાવી હતી. એ પછી બંનેને મંદિરમાં લઈ જઈને કથિત રીતે પાપ શુદ્ધ કરવા માટે શુદ્ધીકરણનું અનુષ્ઠાન પણ કરાવ્યું હતું.

ભત્રીજાએ ફોઈ સાથે લગ્ન કર્યાં એટલે ગામલોકોએ બંનેને હળે જોતર્યા

ઓડીશાના રાયગઢ જિલ્લામાં એક ગામ છે, કંજમાઝિરા ગામ. ગામના યુવક અને તેના પિતાની બહેન એટલે કે ફોઈ વચ્ચે પ્રેમ થઈ ગયો. અને લગ્ન પણ કરી લીધાં હતાં. બંનેનાં લગ્ન ગામના લોકોને સ્વીકાર્ય નહોતાં. યુવક અને યુવતી ફોઈ-ભત્રીજો થતાં બંને વચ્ચે લોહીના સંબંધ હતા. એટલે ગ્રામજનો આ લગ્નની વિરુદ્ધ હતા એટલે પહેલાં તો બંનેને ગામ બહાર ધકેલી દીધા હતા. એ પછી પાછા બોલાવીને બંનેને બળદની જેમ હળે જોતર્યાં અને ખેતી કરાવી હતી.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ એક ટીમ સાથે ગામની મુલાકાત લીધી અને ફરિયાદ દાખલ કરી છે. ફોઈ-ભત્રીજાને શોધવાના કામમાં પોલીસ જોતરાઈ છે. જાન્યુઆરીમાં પણ આવી જ ઘટના બની હતી. રાયગઢમાં મહિલાએ પર જ્ઞાતિમાં લગ્ન કરતાં એક પરિવારના 40 સભ્યે મહિલાનું મુંડન કરાવ્યું હતું.

વૃદ્ધાને જીવતી કરવા મૃતદેહને છાણમાં દાટી દીધો

બીજી બાજુ, ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં મહિલાને ઝેરી સાપ કરડી ગયેલો. મહિલાને લઈને પરિવાર સ્વાસ્થ્ય કેન્દ્ર ગયો તો ડૉક્ટરે મૃત જાહેર કર હતી. પરિવારને ડૉક્ટરની વાત પર વિશ્વાસ નહોતો બેસતો એટલે મહિલાનો મૃતદેહ લઈને એક તાંત્રિક પાસે પહોંચ્યા. તાંત્રિકે મહિલાને 24 કલાકમાં જીવતી કરવાનો દાવો કર્યો અને મૃતદેહ છાણમાં દાટી દીધો હતો. જોકે મોડી રાતે મૃતદેહ છાણમાંથી બહાર કાઢ્યો હતો.

આ વાત મળી એટલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયોજકો સમર્થકોને લઈને સ્થળ પર પહોંચી ગયા અને તાંત્રિકના ખોટા દાવા સામે હોબાળો મચાવ્યો હતો. ચકપુરવા ગામનાં 60 વર્ષનાં કલાવતી દેવીને સાપે ડંખ માર્યો હતો. ગુરુવારે બપોરે કલાવતી દેવી ખેતરમાં કામ કરતાં હતાં ત્યારે સાપે ડંખ માર્યો હતો. સર્પદંશની ખબર પડતાં જ પરિવારજનો તેમને નજીકના વિસવાં ખુર્ગ ગામમાં વૈદ્ય પાસે લઈ ગયા પણ કોઈ ફેર ન પડ્યો એટલે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરે કહ્યું કે કલાવતી દેવી મૃત્યુ પામ્યાં છે. આ સાંભળીને પરિવાર આકળવિકળ થઈ ગયો. વાત મળતાં ઇસ્માઇલ ગંજમાં આવેલા રામ જાનકી મંદિરના તાંત્રિક કૃપાલ દાસ ગામે પહોંચ્યા અને કલાવતી દેવીને જીવિત કરવાનો દાવો કર્યો. કલાવતી દેવીને 24 કલાક સુધી છાણ નીચે દબાવી દેવામાં આવે તો એ જીવતાં થઈ જશે, એવો તાંત્રિક કૃપાલ દાસે દાવો કર્યો. તાંત્રિકના દાવાને કારણે પરિવારે પરવાનગી આપી. પછી તાંત્રિકે કલાવતી દેવીનો મૃતદેહ છાણ નીચે દાટી દીધો.

આ પણ વાંચો: 
 
 
 
 
 
 
 
  • Related Posts

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’
    • December 16, 2025

    Rana Balachoria Murder: પંજાબના મોહાલીના સોહાનામાં ચાલી રહેલી એક કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા બદમાશોએ ખેલાડી કંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બાલાચૌરિયા પર ગોળીબાર કર્યો હતો, ગોળીઓ વાગતા…

    Continue reading
    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!
    • December 15, 2025

    Congress Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આ તકે ‘વોટ ચોર ગદ્દી છોડ’ બેનર હેઠળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

    • December 16, 2025
    • 3 views
    Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    • December 16, 2025
    • 5 views
    Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    • December 15, 2025
    • 6 views
    BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    • December 15, 2025
    • 9 views
    Injustice to farmers: વીજ કંપનીઓની દાદાગીરી, ખેડૂતોની સંમતિ વગર વીજલાઈન નાખવાની પેરવી

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    • December 15, 2025
    • 16 views
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    • December 15, 2025
    • 16 views
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!