સુરત સિવિલ હોસ્પિટલનાં પ્રાંગણમાં બનેલી રહસ્યમયી ઘટનાને પગલે ચકચાર

  • Gujarat
  • September 27, 2025
  • 0 Comments
  • મૂળ યુપીની પૂજા કુશવાહ હાલ સુરતના હજીરા વિસ્તારમાં રહેતી હતી.
  • પૂજાનું બિમાર નવજાત બાળક 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.
  • ગત રાતે અચાનક ગૂમ થઇ ગયેલી પૂજાનો મૃતદેહ સ્ટેમસેલ બિલ્ડિંગ પાસેના વૃક્ષની ડાળી પર લટકતો મળી આવ્યો.

Surat News । સુરતની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્ટેમસેલ બિલ્ડિંગ પાસેના વૃક્ષની ડાળી પર લટકતી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, રહસ્યમય સંજોગોમાં વૃક્ષની ડાળી પર લટકતી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવેલી યુવતીએ 10 દિવસ અગાઉ જ બાળકને જન્મ આપ્યો હતો.

બનાવની પ્રાપ્ત જાણકારી એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશની વતની એવી પૂજા કુશવાહ સુરતના હજીરા વિસ્તારમાં પરિવારજનો સાથે રહેતી હતી. 26 વર્ષિય પૂજા કુશવાહ સગર્ભા હતી. ડોક્ટરે આપેલી તારીખ કરતાં 10 દિવસ અગાઉ પૂજાને વેણ ઉપાડતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

10 દિવસ અગાઉ પૂજા કુશવાહે એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકની તબિયત સારી ના હોઈ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.

https://youtu.be/RgVESX-9JhY

ગઈકાલે રાત્રે પૂજા કુશવાહ અચાનક પોતાના વોર્ડમાંથી ગૂમ થઈ ગઈ હતી. ત્યાં હાજર પરિવારજનોએ હોસ્પિટલમાં શોધખોળ કર્યા બાદ અન્ય સગાં સંબંધીઓને આ અંગે જાણકારી આપતાં પૂજાના ભાઈ અમરજિત સહિતના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. બધાંએ ભેગા મળી મોડી રાત્રે બે વાગ્યા સુધી હોસ્પિટલ ઉપરાંત રેલવે સ્ટેશન સહિતના અન્ય સ્થળોએ પૂજાની સઘન શોધખોળ કરી હતી પરંતુ પૂજાનો કોઈ અત્તો પત્તો લાગ્યો નહોતો.

આખરે પૂજાના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસનો દૌર શરૂ કર્યો હતો. આખી રાતની કવાયત છતાં પૂજાને શોધવામાં સફળતા મળી નહોતી.

આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ પાસે આવેલા વૃક્ષની ડાળી પર એક યુવતીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જેને પગલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવને પગલે દોડી આવેલી પોલીસ દ્વારા તપાસ કરાતાં મૃતદેહ પૂજા કુશવાહનો હોવાનું જાણવા મળ્યું હતું.

પૂજા કુશવાહે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતાં 10 દિવસના બિમાર બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પોલીસે પૂજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા
  • July 13, 2026

Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂલાઈ 2026 અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ મ્યુનિસિપલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

  • July 15, 2026
  • 2 views
Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

  • July 15, 2026
  • 3 views
Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

  • July 15, 2026
  • 6 views
Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

  • July 14, 2026
  • 7 views
Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

  • July 14, 2026
  • 9 views
Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર

  • July 14, 2026
  • 8 views
India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર