syrup scandal: ‘ઝેરી સિરપ કાંડ’ના જવાબદારોના સરઘસ અને બુલડોઝર કાર્યવાહી ક્યારે થશે?વિપક્ષની માંગ

  • India
  • October 8, 2025
  • 0 Comments

syrup scandal: દેશમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઝેરી સીરપ પીવાથી માસૂમ બાળકોના ટપોટપ મોત થઈ રહયા હોવાછતાં આ પ્રકરણમાં ગંભીરતા લેવામાં આવી નહિ હોવાનું સામે આવી રહ્યું છે.

‘ઝેરી સિરપ કાંડ’ના જવાબદારો સામે  કાર્યવાહીની માંગ

જનતામાં હવે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારોના પોલીસ મારથી લંગડા ચાલતા સરઘસો કાઢવા કે બુલડોઝર ક્યારે ચલાવશે વગરે મુદ્દે હવે સવાલો ઉઠ્યા છે આટલો મોટો ગંભીર ક્રાઇમ હોવાછતાં સરકાર માત્ર નોટિસો પાઠવી દવા ઉપર પ્રતિબંધ જેવી કાર્યવાહી કરી મન મનાવી રહી છે જેની સામે વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં ઝેરી કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 23 બાળકોના મોત થઈ ચૂક્યા છે.

સીરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

મધ્યપ્રદેશમાં 19 અને રાજસ્થાનમાં 4 બાળકોના મોત મળી કુલ આંક 23 થઈ ચુક્યો છે. બાળકોના વધુ મોત થતા અટકાવવા માટે હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ અને પંજાબે આ સીરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

CBI તપાસની ઉઠી માંગ

જોકે, હવે આ મામલો ગંભીર જણાતા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સીબીઆઈ તપાસ અને દેશભરમાં દવાઓની સલામતીની તપાસની માગ કરવામાં આવી છે.

નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ

એડવોકેટ વિશાલ તિવારીએ આ અરજી કરી છે જેમાં માગ કરી છે કે કોર્ટે સરકારને રાષ્ટ્રીય ન્યાયિક પંચ અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપવો જોઈએ અને તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ.

કંપનીને સરકારે નોટિસ ફટકારી

ઝેરી સીરપ કાંડ સર્જાયા બાદ તમિલનાડુ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે સીરપ બનાવતી કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ કંપનીને નોટિસ ફટકારી સરકારે કંપની પાસેથી પાંચ દિવસમાં જવાબ માગ્યો છે.

દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રીકોલ કરવાનો આદેશ

ઉપરાંત ગુજરાતની બે કંપની સામે પણ એક્શન લેવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. અને અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. સામે તપાસના આદેશ આપી દવાનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દેવાયું છે અને બન્ને કંપનીઓ ના ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ દવાઓનો જથ્થો બજારમાંથી તાત્કાલિક રીકોલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

કાંચીપુરમ જિલ્લાના સુંગુવરચત્રમમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના યુનિટમાંથી કોલ્ડ્રિફ સીરપ (બેચ નંબર SR-13) જપ્ત કરવામાં આવ્યું હતું.

પરીક્ષણોમાં શું જાણવા મળ્યું ? 

પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તેમાં નોન-ફાર્માકોપીયા ગ્રેડ પ્રોપીલીન ગ્લાયકોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સંભવતઃ ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) અને ઇથિલિન ગ્લાયકોલથી દૂષિત હોવાનું સામે આવ્યું છે આ બંને રસાયણો ઝેરી પદાર્થો કિડનીને નુકશાન કરે છે.

આ નમૂનાઓ ચેન્નઈની સરકારી દવા પરીક્ષણ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં 24 કલાકની અંદર રિપોર્ટ આપવામાં આવ્યો હતો. કોલ્ડ્રિફ સીરપનો આ બેચ 48.6% w/v DEG સાથે ઝેરી હોવાનું જણાયું હતું.

બાળકોના મૃત્યુ બાદ, કોલ્ડ્રિફ, બેચ નંબર SR-13, અને નેક્સ્ટ્રો-DS, બેચ નંબર AQD-2559 નામના કફ સીરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મામલાને ગંભીરતાથી લેવા સરકારને અનુરોધ

ઝેરી કફ સીરપથી બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી આ મામલાને ગંભીરતાથી લેવા સરકારને અનુરોધ કર્યો હતો.
પાર્ટી મુખ્યાલયમાં આયોજિત આ પત્રકાર પરિષદમાં મધ્યપ્રદેશના વિપક્ષી નેતા ઉમંગ સિંઘરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા પર સવાલ ઉઠાવ્યા હતા.

સરકારે કર્યા આંખ આડા કાન

સિંઘરે કહ્યું, કફ સીરપ પીધા બાદ કિડની ફેલ થવાથી બાળકોના મોત થયા છે.
આ આખો મામલો ભ્રષ્ટાચાર અને કમિશનનો છે જેની ન્યાયિક તપાસ કરવા માંગ કરી છે.
દેશમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચારના ભોરિંગે હદ વટાવી દીધી છે અને અગાઉ પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી હોવાછતાં સરકારે આંખ આડા કાન કરતા હવે ફરી એકવાર નિર્દોષ માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: 

Gujarat politics: ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ:મોટાભાગના મંત્રીઓને પડતા મુકાશે?

Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો

UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?

UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 8 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 14 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?