ગુજરાતમાં લાયન પ્રોજેક્ટ થકી સંરક્ષણની વાતો મિથ્યા; 2024માં સિંહમરણનો આંકડો ચોંકાવનારો

  • સિંહ સંરક્ષણની વાતો વચ્ચે 2024માં સિંહમરણનો આંકડો ચોંકાવનારો

હાલમાં જ પીએમ મોદીએ સિંહ બાળોને દૂધ પીવડાવ્યું હતું. આ તમામ ફોટોગ્રાફ્સ દેશભરના લોકોને નિહાળ્યા હતા. પરંતુ આ વચ્ચે વિધાનસભાના એક પ્રશ્નના જવાબમાં સિંહમરણને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. વનમંત્રી દ્વારા વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં સિંહોના મોત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તે મુજબ 286 સિંહોના મોત થયા છે. તેમાંથી 228 સિંહોના કુદરતી અને 58 સિંહોના અકુદરતી મોત થયા છે.

પીએમ મોદી ગિરમાં આવીને સિંહ દર્શન તો કરે છે પરંતુ તેમને બચાવવા માટે યોગ્ય પ્રમાણમાં પગલા ભરવામાં આવે છે કે નહીં તેના વિશેની કોઈ તસ્દી લેતા હોય તેવું લાગી રહ્યું નથી. સિંહ મૃત્યુના આંકડા ચોંકાવનાર તેટલા માટે છે કેમ કે, સિંહોમાં ફેલાયેલા રોગચાળા દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યુ થયા નહતા.

તો પછી સામાન્ય દિવસોમાં કેમ આટલી મોટી સંખ્યામાં સિંહ બાળ અને યુવા સિંહોના મોત થઈ રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. સરકાર કહે છે કે સિંહોને બચાવવા માટે તમામ રીતના પગલા ભરવામાં આવી રહ્યા છે તો પછી સિંહોનું મૃત્યુ દર ઘટવાની જગ્યાએ વધી કેમ રહ્યો છે?

જ્યારે સિંહોમાં સીડીવી તથા બેબેસીયા નામના જીવલેણ વાયરસ આવ્યા હતા ત્યારે પણ 165 સિંહોનાં મોત થયા હતા પરંતુ છેલ્લા વર્ષમાં સિંહોના સૌથી વધુ મોતના આંકડાએ સરકાર અને વન વિભાગને ચોંકાવી દીધા છે. 2018થી 2020 દરમિયાન રોગચાળો હોવાના કારણે સિંહોના મોત થયા તે સ્વભાવિક છે.

આ પણ વાંચો- રાહુલ ગાંધીના અચાનક બે દિવસ અમદાવાદમાં ધામા કેમ?

વનમંત્રી દ્વારા વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં સિંહોના મોત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા તે મુજબ 286 સિંહોના મોત થયા છે. તેમાંથી 228 સિંહોના કુદરતી અને 58 સિંહોના અકુદરતી મોત થયા છે. તેમાંય મોટા સિંહ 41 અને 17 સિંહ બાળના અકુદરતી મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

વન વિભાગ દ્વારા અગાઉ દાવા કરવામાં આવ્યા છે કે, જે સિંહોના મોત થાય છે તેમાં મોટાભાગે બાળસિંહોના મોત થતા હોય છે પરંતુ આ વખતે ઉલ્ટી ગંગા હોય તેમ સૌથી વધુ મોટા સિંહોના અકુદરતી મોત થયા છે. પ્રોજેક્ટ લાયન અમલમાં હોવાના દાવાઓ વચ્ચે સિંહોના મોતનો આંકડો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે પ્રોજેક્ટ લાયન સામે પણ પ્રશ્ન ઉભા થયા છે. બાળસિંહોનાં મોત વધુ થતા હોવાના દાવા વચ્ચે વયસ્ક સિંહોનાં અકુદરતી મોત વધુ થયા છે.

જણાવી દઈએ કે, ખુલ્લા કૂવામાં પડવાથી, વીજ કરંટ લાગવાથી, ટ્રેન અકસ્માતમાં, રોડ અકસ્માતમાં, બીમારી સબબ સિંહોના મોત થાય તો તેને અકુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ અકુદરતીમાં વીજ કરંટ લાગવાથી તથા ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહો મોતને ભેટી રહ્યા છે. સિંહો સૌથી વધુ સલામત અને તેમની સતત વધતી વસ્તીનું સરકાર અને વન વિભાગ ગૌરવ લે છે પરંતુ સિંહો પર ખરા અર્થમાં અનેક સંકટ મંડરાયેલા છે.

આ પણ વાંચો- ‘પાકિસ્તાની કાર્ડ’ પણ તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણથી બચાવી શક્યું નહીં, યુએસ કોર્ટે અપીલ ફગાવી

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત