
TATA: મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા 33 KVની વીજ લાઈન નાંખવા અંગેના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સ્થાનિક તંત્રની ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.મુખ્ય વિગતો નીચે મુજબ છે: ગેરકાયદે બાંધકામનો આક્ષેપ: ટાટા કંપની દ્વારા રહેણાંક વિસ્તારો અથવા જાહેર માર્ગો પર નિયમોનું ઉલ્લંઘન કરીને હાઈ-વોલ્ટેજ લાઈન નાંખવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે.
વિભાગોનું મૌન સ્થાનિકોને અકળાવી રહ્યું છે તેઓના જણાવ્યા અનુસાર, વીજ તંત્ર અને માર્ગ મકાન વિભાગ (PWD) ને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.અહીં રહેતા લોકોને સુરક્ષા અંગે ચિંતા સતાવી રહી છે,અગાઉ પણ મીઠાપુર પ્લાન્ટમાં સુરક્ષાના અભાવે અકસ્માતો અને બેદરકારીની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં આ નવી વીજ લાઈન બાબતે વધુ રોષ જોવા મળી રહ્યો છે.આ અંગે સ્થાનિક અગ્રણી મેઘાભાએ The Gujarat Reportsના સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં વિસ્તુત જાણકારી આપી હતી જે અત્રે પ્રસ્તુત છે વિડીયો જોવાનું ચૂકશો નહિ.








