
Telangana rescue 2025: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલના ઉપરના ભાગની છત તૂટી પડતાં 8 લોકો દબાઈ ગયા હતા. આ ઘટના 22 ફેબ્રુઆરીએ બની હતી. ત્યારે આજે 10થી વધુનો સમય થવા જઈ રહ્યો છે. ત્યારે 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હાલ રેસ્કયૂ ટીમો ફસાયેલા અન્ય લોકોને બહાર કાઢવા સતત પ્રયત્નો કરી રહી છે.
ટનલની અંદરની અસહ્ય દુર્ગંધને કારણે બચાવ ટીમોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, સળેલા મૃતદેહોમાંથી દુર્ગંધ મારતાં રેસ્ક્યૂ કામગીરીમાં વિક્ષેપ ઉભો થઈ રહ્યો છે. તેમ છતાં રેસ્ક્યૂ ટીમો લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. રેસ્ક્યૂ ટીમો કાદવ-કિચડ હટાવી લોકોને બહાર લાવવાના પ્રયાસો કરી છે. ઘટના સ્થળે સ્થળોએ કર્મચારીઓ અને સાધનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. કાંપ દૂર કરવાની અને પાણી કાઢવાની પ્રક્રિયા સતત ચાલુ છે. અંદાજ છે કે આ ઘટનામાં જે 8 લોકો દબાયા છે તેમાંથી કોઈ બચ્યું નથી. ભોગ બનનારા પરિવારોમાં છેલ્લા 10 દિવસથી આક્રંદ છવાયો છે. તેઓ પોતાના સ્વજનોને વાટ જોઈને ઉંઘતા પણ નથી.
ગઈકાલે 4 લોકોને કાઢ્યા હતા
શનિવારે બચાવ કામગીરીમાં નોંધપાત્ર સફળતા મળી જ્યારે અંદર ફસાયેલા 8 લોકોમાંથી 4 લોકો મળી આવ્યા હતા. નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI) ના વૈજ્ઞાનિકોએ ‘ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર’ (GPR) નો ઉપયોગ કરીને નોંધપાત્ર સફળતા મેળવી હતી.
મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી આજે સાંજે ટનલ સ્થળની મુલાકાત લેશે અને બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.
આ પણ વાંચોઃ Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?
આ પણ વાંચોઃ Dahod: દાહોદમાં નાસતાં ફરતાં આરોપી ડ્રોનની મદદથી ઝડપાયા, જુઓ વિડિયો આરોપીઓ કેવી રીતે ઝડપાયા?