Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

  • India
  • May 7, 2025
  • 9 Comments

Operation Sindoor: ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને સજા આપવા માટે પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. હવે આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, “ભારતીય સેનાએ નિર્ધારિત લક્ષ્ય પર સચોટ કાર્યવાહી કરી છે. જેમણે અમારી પર હુમલો કર્યો તેમને અમે મારી નાખ્યા છે. અમે આતંકવાદીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો છે.”

તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂર હેઠળ અમારા દળોએ આતંકવાદી તાલીમ શિબિરોનો નાશ કરીને યોગ્ય જવાબ આપ્યો છે. અમે સંવેદનશીલતા દર્શાવી અમે કોઈ નાગરિકો પર હુમલો કર્યો નથી.

ઓપરેશન સિંદૂરએ દુનિયાને મોટો સંદેશ આપ્યો

તમને જણાવી દઈએ કે ભારતના ઓપરેશન સિંદૂરએ દુનિયાને એક મોટો સંદેશ આપ્યો છે. પાકિસ્તાન સમજી ગયું છે કે હવે નવુ ભારત એક એવી શક્તિ છે જે પસંદગીપૂર્વક બદલો લઈ શકે છે. 2008 અને હવે 2025 વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે દેખાય છે. 2008 માં આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાનીમાં ઘૂસીને 166 લોકોની હત્યા કરી હતી, 2025 માં, 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા, ભારતે હવે આનો બદલો લીધો છે. એવો બદલો લેવામાં આવ્યો કે પાકિસ્તાન પોતે આગળ આવીને કબૂલ કરી રહ્યું છે કે તેના 26 લોકો માર્યા ગયા છે પરંતુ વાસ્તવિક સંખ્યા આના કરતા ઘણી વધારે છે.

કેવી રીતે 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો?

ભારતીય સેનાએ ગત રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનના મુખ્ય આતંકવાદી ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારત દ્વારા આ હવાઈ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને આતંકવાદીઓના ઠેકાણાઓને કેટલી ચતુરાઈથી નિશાન બનાવવામાં આવ્યા તેનો વીડિયો ભારતીય સેના દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યો છે. આ વિડીયો બતાવે છે કે કેવી રીતે દરેક લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું અને સેનાએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું.

Related Posts

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં
  • June 16, 2025

India Census 2027: ભારત સરકારે જાહેરાત કરી છે કે દેશની આગામી વસ્તી ગણતરી(India Census) વર્ષ 2027 માં હાથ ધરવામાં આવશે. આ માટે ગૃહ મંત્રાલય દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી…

Continue reading
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી
  • June 16, 2025

New Delhi: નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબ ખાતે લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની રાષ્ટ્રીય અને રાજ્ય કાર્યકારિણીની બેઠક અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ…

Continue reading

One thought on “Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

  • June 16, 2025
  • 2 views
Surat Airport: વિમાનના રનવે નીચે ગટર, ONGC પાઇપલાઇન, પછી શું થાય!

Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

  • June 16, 2025
  • 4 views
Iran-israel War: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતને કયા પડકારોનો સામનો કરવો પડશે?

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

  • June 16, 2025
  • 14 views
India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

  • June 16, 2025
  • 6 views
Surat: કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો, સુસાઈડ નોટમાં શું લખ્યું?

New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

  • June 16, 2025
  • 14 views
New Delhi: લીગલ રાઈટ્સ કાઉન્સિલ ઈન્ડિયાની ઐતિહાસિક બેઠક: મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન, નવા નેતૃત્વની પસંદગી

Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી, આગ લાગવાનું આ કારણ આવ્યું સામે

  • June 16, 2025
  • 4 views
Pune Train Fire: મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી,  આગ લાગવાનું આ કારણ આવ્યું સામે