ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષાનું ટાઇમ-ટેબલ બદલાયું

ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 20થી 28 જાન્યુઆરી દરમિયાન આ પ્રિલીમ પરીક્ષા યોજાનારી હતી. 22થી 31 જાન્યુઆરી દરમિયાન JEE-MAINની પરીક્ષા યોજાવાની હોવાના કારણે ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા આગામી 16થી 21 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જ્યારે અન્ય ધોરણની પ્રિલીમ-દ્વિતીય પરીક્ષા અગાઉની તારીખે લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ-2024-25નું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જેમાં જણાવ્યા મુજબ ધોરણ-9થી 12ની પ્રિલીમ / દ્વિતીય પરીક્ષા તા. 20થી 28 જાન્યુઆરી 2025 દરમ્યાન લેવામાં આવનાર હતી.

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત મુજબ National Testing Agency (NTA)ની 28 ઓક્ટોબર 2024ની જાહેર નિવિદામાં જણાવ્યા મુજબ JEE-MAINની પરીક્ષા 22થી 31 જાન્યુઆરી 2025 દરમ્યાન યોજાનાર હોવાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે વિનંતી કરી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પ્રિલિમ / દ્વિતીય પરીક્ષા અને JEE-MAIN ની પ્રથમ તબક્કાની પરીક્ષાઓની તારીખ પરસ્પર એકસરખી હોવાથી સંદર્ભ દર્શિત કારોબારી સમિતિના ઠરાવ અન્વયે કરવામાં આવેલ નિર્ણય મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષા 16થી 21 જાન્યુઆરી 2025 દરમ્યાન લેવાની રહેશે. અન્ય ધોરણની પ્રિલીમ / દ્વિતીય પરીક્ષા બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ તા. 20થી 28 જાન્યુઆરી 2025 દરમ્યાન યોજવાનું યથાવત રાખવામાં આવી છે.

Related Posts

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
  • May 7, 2026

Surat Import-Export Scam: સુરત શહેર, જે કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યાં વેપારીઓને લલચાવીને છેતરવાનું એક નવું અને આધુનિક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે ઠગબાજો પણ ડિજિટલ હથિયારોનો…

Continue reading
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત
  • May 7, 2026

Sohrabuddin encounter case: ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રમાં વર્ષો સુધી ચર્ચાના કેન્દ્રમાં રહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2018માં સ્પેશિયલ સીબીઆઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

  • May 7, 2026
  • 3 views
Akhilesh Mamata Meeting: મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર: ‘દીદી BJP ની આંખોમાં ખૂંચે છે’

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

  • May 7, 2026
  • 6 views
Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

  • May 7, 2026
  • 8 views
Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

  • May 7, 2026
  • 10 views
Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

  • May 7, 2026
  • 7 views
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 9 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર